AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, 11,360 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

આજે પીએમ દક્ષિણ ભારતના પ્રવાસે છે. તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ દેશની 13મી વંદે ભારત ટ્રેન છે. પીએમ સમગ્ર દેશના રેલવે નેટવર્કમાં વંદે ભારત ચલાવવા માંગે છે.

Hyderabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, 11,360 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન
PM Narendra Modi - Hyderabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 1:00 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ પહોંચ્યા છે. આજે પીએમ દક્ષિણ ભારતના પ્રવાસે છે. તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ દેશની 13મી વંદે ભારત ટ્રેન છે. પીએમ સમગ્ર દેશના રેલવે નેટવર્કમાં વંદે ભારત ચલાવવા માંગે છે. ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ વધારવા માંગે છે. કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી પણ છે. તેલંગાણાના સીએમ કેસીઆર પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ નહીં લે. PM આજે તેલંગાણામાં 11,360 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : President Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેજપુર એરફોર્સ સ્ટેશનથી ફાઈટર એરક્રાફ્ટ સુખોઈમાં ઉડાન ભરી

સીએમ કેસીઆર એરપોર્ટ પર નહીં જાય

સીએમ કેસીઆર પીએમ મોદીને રિસીવ કરવા બેગમપેટ એરપોર્ટ નહીં પહોંચે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના નેતાઓ આવું કરતા નથી. તેની પાછળ તેઓ ઘણી દલીલો આપે છે. થોડા મહિના પહેલા જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પંજાબ પહોંચ્યા હતા ત્યારે સીએમ ભગવંત માન તેમને રિસીવ કરવા આવ્યા ન હતા.

વંદે ભારતને લીલી ઝંડી બતાવશે

વંદે ભારતને લીલી ઝંડી બતાવીને પીએમ મોદી ચેન્નાઈ જવા રવાના થશે. અહીં તેઓ નવીનતમ ટેકનોલોજીથી બનેલા ચેન્નાઈ એરપોર્ટના ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા રાજકારણ તેજ બન્યું છે. કોંગ્રેસે પીએમને કાળા ઝંડા બતાવવાની યોજના બનાવી છે. આ અંગે ભાજપે પ્રહારો કર્યા છે. બીજેપી નેતા ખુશ્બુ સુંદરે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે આ લોકોને વિકાસ નથી જોઈતો. જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે. જેમ તેમના નેતા છે, તેમ તેમના શિષ્યો પણ છે.

વંદે ભારત ટ્રેન શરૂ થવાથી લોકોને ઘણી સુવિધા મળશે

તેલંગાણાને આ બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છે. તે હૈદરાબાદથી તિરુપતિ સુધી ચાલશે. હૈદરાબાદથી તિરુપતિનું અંતર 560 કિલોમીટર છે. વંદે ભારત 8.30 કલાકમાં 661 કિલોમીટરનું અંતર કાપશે. સામાન્ય રીતે આ અંતર કાપવામાં 12 કલાકનો સમય લાગતો હતો. તેનાથી લોકોનો સમય બચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. આ ટ્રેન દોડવાથી લોકોને ઘણી સુવિધા મળશે.

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">