અતંરિક્ષમાંથી કેવું દેખાય છે ભગવાન રામનું મંદિર ? ઈસરોએ કેપ્ચર કરી તસવીરો, જુઓ અહીં

ISRO દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલું શ્રી રામ મંદિરનું સ્થળ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભારતીય રિમોટ સેન્સિંગ શ્રેણીના ઉપગ્રહોનો ઉપયોગ કરીને તેનું વિગતવાર દૃશ્ય પણ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે જુઓ અહીં તસવીર

અતંરિક્ષમાંથી કેવું દેખાય છે ભગવાન રામનું મંદિર ? ઈસરોએ કેપ્ચર કરી તસવીરો, જુઓ અહીં
Lord Rama temple look from space
Follow Us:
| Updated on: Jan 21, 2024 | 4:25 PM

ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. સોમવારે શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ ઉપરાંત તે જ દિવસે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ છે. આ દરમિયાન ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની સેટેલાઇટ તસવીરો સામે આવી છે. સેટેલાઇટ ફોટામાં દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટ દેખાઈ રહી છે. સેટેલાઇટ ફોટોમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નવિનીકરણ પણ દેખાઈ રહ્યું છે.

ભારત પાસે હાલમાં અવકાશમાં 50 થી વધુ ઉપગ્રહો છે. તેમાંના કેટલાકનું રિઝોલ્યુશન એક મીટર કરતા ઓછું છે. હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરના ફોટોગ્રાફ્સ લેવાનું કામ હાથ ધર્યું છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ભવ્ય શ્રી રામ મંદિર 2.7 એકરમાં ફેલાયેલું છે

ISRO દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલું શ્રી રામ મંદિરનું સ્થળ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભારતીય રિમોટ સેન્સિંગ શ્રેણીના ઉપગ્રહોનો ઉપયોગ કરીને તેનું વિગતવાર દૃશ્ય પણ દર્શાવવામાં આવ્યું છે. અયોધ્યામાં રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ સ્વદેશી ઉપગ્રહનો ઉપયોગ કરીને અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઝલક બતાવી છે.

ઈસરોએ રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવા માટે સ્થળની ઓળખ કરી હતી

તમને જણાવી દઈએ કે મંદિરના નિર્માણના અન્ય તબક્કાઓમાં પણ ઈસરોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અયોધ્યાના આ ભવ્ય પ્રોજેક્ટમાં એક મોટો પડકાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ચોક્કસ સ્થળની ઓળખ કરવાનો હતો. મંદિરના નિર્માણ દરમિયાન ભગવાન રામના ચોક્કસ સ્થાનની ઓળખ કરવાની જવાબદારી પણ ઈસરોને સોંપવામાં આવી હતી. રામ મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે ભગવાન રામની મૂર્તિ 3X 6 ફૂટની જગ્યા પર મૂકવામાં આવે. જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાની માન્યતા છે.

મોટી સંખ્યામાં VVIP અયોધ્યા પહોંચશે

સોમવારે અયોધ્યાના શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ કાર્યક્રમ માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં વીવીઆઈપી અયોધ્યા પહોંચી રહ્યા છે. પીએમ મોદી રામ મંદિરના ઉદ્ઘાટન અને રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે.

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">