AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુરમાં ભૂસ્ખલનના ભયાનક ફોટોઝ અને વીડિયો થયા વાયરલ, યુઝર્સએ કરી મણિપુરના લોકો માટે પ્રાર્થના

હાલમાં મણિપુરમાં થયેલા ભૂસ્ખલનમાં (Manipur Landslide) 15થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 50થી વધારે લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે.

મણિપુરમાં ભૂસ્ખલનના ભયાનક ફોટોઝ અને વીડિયો થયા વાયરલ, યુઝર્સએ કરી મણિપુરના લોકો માટે પ્રાર્થના
Manipur LandslidesImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 11:25 PM
Share

કુદરતી આફત ક્યારેય કહીને નથી આવતી પણ જ્યારે આવે છે ત્યારે તબાહી મચાવીને જાય છે. 2013માં ઉત્તરાખંડમાં બનેલી ઘટના કોણ ભુલી શકે છે? કુદરતી આફત લોકોના પરિવારને એક મિનિટમાં વેરવિખેર કરી શકે છે. અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વારંવાર જોવા અને સાંભળવામાં આવે છે, જેમાંથી કેટલીક ખૂબ જ પીડાદાયક અને હૃદયદ્રાવક હોય છે. આવી જ એક ઘટના બુધવારે રાત્રે મણિપુરમાં (Manipur) બની હતી, જ્યાં નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પાસે ભૂસ્ખલન (Manipur Landslide) થયું હતું અને 107 ટેરિટોરિયલ આર્મી કેમ્પને ટક્કર મારી હતી. આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના મોતના અહેવાલ છે, જ્યારે 50થી વધુ લોકો હજુ પણ લાપતા છે. નદીમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે એક્સેવેટર મશીનો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ભારતીય સેના, આસામ રાઈફલ્સ, ટેરિટોરિયલ આર્મી અને સેન્ટ્રલ અને સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સ ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ ભૂસ્ખલનને કારણે ગુમ થયેલા લોકોમાંથી ઓછામાં ઓછા અડધા લોકો ટેરિટોરિયલ આર્મીના છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે સ્નિફર ડોગ્સને પણ કામે લગાડવામાં આવ્યા છે. આ અકસ્માતની હૃદયદ્રાવક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટર પર #manipurlandslide ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે.

મણિપુર ભૂસ્ખલનના વાયરલ ફોટોઝ અને વીડિયો

આ દુર્ઘટના સાથે જોડાયેલા આવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોયા પછી લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">