ઉદયપુર હત્યાકાંડ બાદ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલનું આ જૂનું ટ્વિટ થયું વાયરલ

ઉદયપુરમાં(udaipur) કન્હૈયાલાલ હત્યા કેસ પર વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે.

ઉદયપુર હત્યાકાંડ બાદ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલનું આ જૂનું ટ્વિટ થયું વાયરલ
Rahul Gandhi And Arvind Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 9:19 PM

ઉદયપુરમાં (Udaipur) કન્હૈયાલાલ હત્યા(Murder) કેસ પર વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) પણ ટ્વિટ  કરીને આ ઘટનાની નિંદા કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે ઉદયપુરમાં થયેલી ઘૃણાસ્પદ હત્યાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ધર્મના નામે ક્રૂરતા સહન કરી શકાય નહીં. આ ક્રૂરતાથી આતંક ફેલાવનારાઓને તાત્કાલિક સજા થવી જોઈએ. આપણે બધાએ સાથે મળીને નફરતને હરાવવાની છે. હું બધાને અપીલ કરું છું, કૃપા કરીને શાંતિ અને ભાઈચારો જાળવી રાખો.

જો કે રાહુલ ગાંધીની આ ટ્વિટ બાદ તરત જ સોશિયલ મીડિયામાં તેમણે વર્ષ 2021માં ત્રિપુરાની  સાંપ્રદાયિક ઘટના અંગે કરેલી ટ્વિટ વાયરલ થઈ છે. જેમાં રાહુલ ગાંધીએ મુસ્લિમો પર હુમલાના કિસ્સામાં હિન્દુ ધર્મને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે 28 ઓક્ટોબર, 2021ના ટ્વિટ કરીને લખ્યું હતું કે, ત્રિપુરામાં આપણા મુસ્લિમ ભાઈઓ સાથે ક્રૂરતા થઈ રહી છે. જે લોકો હિંદુના નામે નફરત અને હિંસા કરે છે તે હિંદુ નથી, દંભી છે. સરકાર ક્યાં સુધી આંધળી અને બહેરી હોવાનો ડોળ કરતી રહેશે?

Rahul Gandhi Tweet

રાહુલ ગાંધીની બંને ટ્વિટના સ્ક્રીન શૉટ સોશિયલ મીડીયામાં ફોટો વાયરલ

જો કે આ દરમ્યાન રાહુલ ગાંધીની આ બંને ટ્વિટના સ્ક્રીન શૉટ સાથે સોશિયલ મીડીયામાં ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લખ્યું છે કે ત્રિપુરા કેસમાં સીધી રીતે હિન્દુઓને બદનામ કરવામાં આવ્યા છે. જ્યારે ઉદયપુર કેસમાં મુસ્લિમો વિશે કશું કહેવામાં આવ્યું નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અરવિંદ કેજરીવાલનું એક જૂનું ટ્વિટ પણ વાયરલ થઈ રહ્યું છે

જ્યારે ઉદયપુર હત્યાકાંડમાં દિલ્હીના સીએમ  અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે આજે કરેલા ટ્વિટમાં કહ્યું છે કે ઉદયપુરની ઘટના ખૂબ જ ભયાવહ અને બીભત્સ છે. આવા નૃશંસ કૃત્યની સભ્ય સમાજમાં કોઇ જગ્યા નથી. અમે આની સખ્ત શબ્દોમાં નિંદા કરી છે. આ ઘટનાને અંજામ આપનારા ગુનેગારોને સખ્ત સજા આપવી જોઇએ

જો કે આની સાથે જ અરવિંદ કેજરીવાલનું એક જૂનું ટ્વિટ પણ વાયરલ થઈ રહ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલે એક વિડીયો ટ્વિટ કરીને મુસલમાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને હિન્દુ ધર્મગ્રંથો અને હિન્દુ પર નિશાન તાક્યું હતું.આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, આ વિડીઓ જુઓ, અમારા કયા ધર્મગ્રંથમાં લખ્યું છે કે, મુસલમાનોને મારો ? ગીતામાં રામાયણમાં ? હનુમાન ચાલીસામાં ?

Arvind Kejriwal Tweet

અરવિંદ કેજરીવાલનું એક જૂનું ટ્વિટ પણ વાયરલ

આ લોકો હિન્દુ નથી, હિન્દુઓના રૂપમાં ગુંડા છે. એમના પક્ષમાં લુચ્ચા, લફંગા, ગુંડાઓની સેના છે. આમનાથી દેશ અને હિન્દુ ધર્મ બંને બચાવવા દરેક ભારતવાસીની ફરજ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">