VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે ભાજપની ‘ગાંધી સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો
ગૃહપ્રધાન અમિત શાહે હૈદરપુરના રામલીલા મેદાનથી ભાજપની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ હવે 30 જાન્યુઆરી 2020 સુધી ભાજપના લાખો કાર્યકરો ઘરે ઘરે જઈને ગાંધીજીના મૂલ્યો અને સ્વચ્છતાનો સંદેશ પાઠવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો […]
ગૃહપ્રધાન અમિત શાહે હૈદરપુરના રામલીલા મેદાનથી ભાજપની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ હવે 30 જાન્યુઆરી 2020 સુધી ભાજપના લાખો કાર્યકરો ઘરે ઘરે જઈને ગાંધીજીના મૂલ્યો અને સ્વચ્છતાનો સંદેશ પાઠવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
15-15 કિલોમીટરની પદયાત્રા કરીને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવશે. ગૃહપ્રધાન અમિત શાહે “મનમાં બાપુ” નામથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા કહ્યું કે- વડાપ્રધાન મોદી પહેલા એવા વડાપ્રધાન છે, જેમણે સ્વચ્છતાનું આંદોલન ચલાવ્યું. ઘરે ઘરે શૌચાલય બનાવ્યા અને નાના બાળકોને પણ સ્વચ્છતાના આગ્રહી બનાવ્યા.
તેની સાથે જ તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે મહિલાઓને સૂચન કર્યું હતું કે તેઓ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળે અને ઘરમાં એક થેલો વસાવી લે. કારણ કે પ્લાસ્ટિકના ઉપયોગથી પૃથ્વી અને દેશને મોટું નુક્સાન થઈ રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો