લગ્ન માટે ધર્મ પરિવર્તન કરતા હિન્દુઓ ખોટુ કરી રહ્યા છે, OTT જોનારા બાળકો પર નજર રાખોઃ મોહન ભાગવત

ભાગવતની ધર્માંતરણ અંગેની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભાજપ શાસિત ઘણા રાજ્યો કથિત 'લવ જેહાદ' અથવા લગ્ન માટે ધર્મપરિવર્તન સામે કાયદા સાથે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ શાસિત રાજ્યોએ આરએસએસના દબાણ હેઠળ ધર્મપરિવર્તન સામેના કાયદાઓ લાવ્યા છે.

લગ્ન માટે ધર્મ પરિવર્તન કરતા હિન્દુઓ ખોટુ કરી રહ્યા છે, OTT જોનારા બાળકો પર નજર રાખોઃ મોહન ભાગવત
MOHAN BHAGWAT
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 12:11 PM

RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિ અન્ય લોકો સાથે વહેંચી છે. મુગલોના આગમન સુધી ભારતમાં ઘણી સંપત્તિ હતી. ભાગવતે જણાવ્યું હતું કે, 1 લી સદીથી 17 મી સદી સુધી એટલે કે દેશમાં મુગલ લૂંટ શરૂ થયા તે પહેલા ભારત વિશ્વનો સૌથી આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો.

આરએસએસના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે લગ્ન માટે અન્ય ધર્મ અપનાવનારા હિન્દુઓ ખોટું કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ નાનકડા સ્વાર્થ માટે કરવામાં આવી રહ્યું છે અને આ એટલા માટે પણ થઈ રહ્યું છે કારણ કે હિન્દુ પરિવારો તેમના બાળકોને તેમના ધર્મ અને પરંપરાઓ પર ગર્વ લેવા માટે તેમના મૂલ્યો વિશે માહિતી આપતા નથી.

ઉત્તરાખંડના હલ્દવાનીમાં આરએસએસના કાર્યકરો અને તેમના પરિવારોને સંબોધતા ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, ‘ધર્માંતરણ કેવી રીતે થાય છે ? ક્ષુલ્લક સ્વાર્થને કારણે, તેમના દેશના છોકરાઓ અને છોકરીઓ લગ્ન કરવા માટે અન્ય ધર્મોમાં કેવી રીતે સ્થળાંતર કરે છે ? જેઓ ધર્માતરણ કરે છે તે ખોટુ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હિન્દુઓનું ધર્માંતરણ કેવી રીતે અટકશે? હિંદુ બાળકોના ધર્માંતરણને રોકવા માટે, બાળકો સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું, ‘આપણે બાળકોને ઘરે જ સંસ્કાર આપવાના છે. પોતાના પર ગર્વ લેવો, પોતાના ધર્મ પર ગર્વ કરવો અને પોતાની પ્રાર્થના પરંપરાઓ માટે આદર કેળવવો. આના માટે, જો બાળકો પ્રશ્નો પૂછે, તો તેનો જવાબ આપવો, જેથી કરીને પછી તેમને કોઈ મૂંઝવણ રહેશે નહીં.

ભાગવતની ધર્માંતરણ અંગેની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભાજપ શાસિત ઘણા રાજ્યો કહેવાતા ‘લવ જેહાદ’ અથવા લગ્ન માટે ધર્મપરિવર્તન સામે કાયદા સાથે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ શાસિત રાજ્યોએ આરએસએસના દબાણ હેઠળ ધર્મપરિવર્તન સામેના કાયદાઓ લાવ્યા છે.

મહિલાઓએ સમાજનું સંગઠન કરવું જરૂરી છે ભાગવતે ભારતીય કૌટુંબિક મૂલ્યો અને તેમના સંરક્ષણ વિશે વિસ્તૃત વાત કરી. તેમણે મોટાભાગના આરએસએસ કાર્યક્રમોમાં માત્ર પુરુષો જ કેવી રીતે દેખાય છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આરએસએસનો ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો છે. પરંતુ જ્યારે આપણે આરએસએસના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, ત્યારે તેમા ફક્ત પુરુષો જ જોઈએ છીએ. હવે જો આપણે સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગતા હોઈએ તો તેમાં 50 ટકા મહિલાઓ પણ હોવી જોઈએ.

ભારત મોગલોના આગમન સુધી વિશ્વમાં સૌથી ધનિક હતું ભાગવતે કહ્યું કે ભારતીયોએ હંમેશા પોતાની સંપત્તિ અન્ય લોકો સાથે વહેંચી છે. તેમણે કહ્યું કે મુગલોના આગમન સુધી ભારતમાં ઘણી સંપત્તિ હતી. ભાગવતે કહ્યું, ‘ભારત 1 લી સદીથી 17 મી સદી સુધી એટલે કે દેશમાં મુગલ લૂંટ શરૂ થયા પહેલા વિશ્વનો સૌથી આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો. તેથી જ ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું.

OTT પ્લેટફોર્મથી બાળકોને બચાવવા જરૂરી છે આરએસએસના વડાએ OTT પ્લેટફોર્મથી બાળકોને સાવચેત કરવાની માતાપિતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘OTT પ્લેટફોર્મ ઉપર તમામ પ્રકારની વસ્તુઓ બતાવે છે. જે પણ ત્યાં બતાવવામાં આવે છે, તે બાળકો અને અમારા મૂલ્યો માટે કેટલુ ઉપયોગી અને બિનઉપયોગી છે તે ચકાસવુ જરૂરી છે. તેથી આપણે આપણા બાળકોને OTT પ્લેટફોર્મ પર શું જોવું અને શું ન જોવું તે શીખવવું પડશે.

આ પણ વાંચોઃ Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">