Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલકાતામાં ગેરકાયદેસર બાંધકામો પર હાઈકોર્ટની ટિપ્પણી, કહ્યું ‘જરૂર પડે તો CM યોગીનું બુલડોઝર ભાડે લઈ આવો’

ન્યાયાધીશે કહ્યું, "એક-બે નહીં, આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે." ત્યારે સુનાવણીમાં હાજર પાલિકાના વકીલને ન્યાયાધીશે જણાવ્યું હતું કે, જરૂર પડે તો ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવો. તે પછી જ ન્યાયાધીશે યુપીના સીએમ યોગીને બુલડોઝર ભાડે લેવા કહ્યું હતુ.

કોલકાતામાં ગેરકાયદેસર બાંધકામો પર હાઈકોર્ટની ટિપ્પણી, કહ્યું 'જરૂર પડે તો CM યોગીનું બુલડોઝર ભાડે લઈ આવો'
High Court strange comment on illegal constructions in Kolkata
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 12:31 PM

કોલકાતા હાઈકોર્ટે કોલકાતામાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ પર ઉત્તર પ્રદેશ સરકારની બુલડોઝર નીતિ પર ટિપ્પણી કરી છે. જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયે શુક્રવારે ગેરકાયદે બાંધકામ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને કહ્યું.

કોલકાતાના માણિકતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના વિરોધમાં એક મહિલાએ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે મામલે હાઈકોર્ટે કહ્યું કે “જો જરૂર હોય તો, યોગી આદિત્યનાથ પાસેથી કેટલાક બુલડોઝર ભાડે લો,”

ગેરકાયદેસર બાંધનકામ તોડવા યોગી સરકાર પાસે લેશે બુલ્ડોઝર?

કોલકાતાની એક મહિલાએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તે અરજીમાં ગેરકાયદે બાંધકામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ અને વહીવટીતંત્ર કામ કરતું નથી અને તેણી અસુરક્ષિત અનુભવી રહી છે. ત્યારે ન્યાયાધીશે કહ્યું, “એક-બે નહીં, આવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે.” ત્યારે સુનાવણીમાં હાજર પાલિકાના વકીલને ન્યાયાધીશે જણાવ્યું હતું કે, જરૂર પડે તો ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવો. તે પછી જ ન્યાયાધીશે યુપીના સીએમ યોગીને બુલડોઝર ભાડે લેવા કહ્યું હતુ.

સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
Tech Tips: કેટલું હોય છે Fridgeનું આયુષ્ય અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
શું નાસા Sunita Williamsને ઓવરટાઇમ પગાર આપશે?
અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025

ગુંડાઓને કેવી રીતે સીધા કરવા તે જાણીએ છે

ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને નગરપાલિકાના પ્રયાસો છતાં તેઓ ઘણીવાર કાર્યવાહી કરવામાં અસમર્થ હોય છે. કારણ કે તેમને બીજાના દબાણમાં કામ કરવું પડે છે. જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે કહ્યું કે, હું પોલીસ અને નગરપાલિકા વિશે કંઈ કહીશ નહીં. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે પોલીસ અને વહીવટીતંત્ર પર બહારનું દબાણ છે અને તેમના દબાણમાં કામ કરવું પડશે.

આ પછી જજનું મહત્વપૂર્ણ નિવેદન આવ્યું, “કોઈ પણ દાદાગીરી સહન કરવામાં આવશે નહીં. ગુંડાગીરી વિરોધી પાંખના અધિકારીઓ ગુંડાઓને કેવી રીતે સીધા કરવા તે જાણે છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે ફરી એકવાર કોલકાતા નગરપાલિકાને ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશની ટિપ્પણી પર ચર્ચાએ જોર પકડ્યું

બીજી તરફ જસ્ટિસ ગંગોપાધ્યાયની ટિપ્પણી બાદ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે જસ્ટિસ ગંગોપાધ્યાય વાસ્તવમાં લોકપ્રિયતા ઈચ્છે છે. તેમને બંગાળ ભાજપ પર વિશ્વાસ નથી. એટલા માટે તે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો બંગાળ સરકારને બુલડોઝરની જરૂર હોય તો તે સરકારની સાથે છે.

બીજી તરફ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ફિરહાદ હકીમે કહ્યું કે તેમની સરકાર બુલડોઝર પોલિસીમાં વિશ્વાસ નથી કરતી. તે કાયદાના દાયરામાં રહીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગે છે.

તે જ સમયે, બંગાળ ભાજપના મીડિયા પ્રભારી શિશિર બાજોરિયાએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોલકાતાની હાઈકોર્ટે એવી ટિપ્પણી કરવી પડી કે ઉત્તર પ્રદેશથી બુલડોઝર લાવી શકાય. બંગાળ સરકાર ગેરકાયદે બાંધકામને રક્ષણ આપે છે કારણ કે તેમાં TMC સામેલ છે

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
g clip-path="url(#clip0_868_265)">