AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલવિદા વરુણ સિંહ : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન

આ અકસ્માતમાં અત્યાર સુધીમાંCDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અલવિદા વરુણ સિંહ : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન
Group Caption Varun Singh Death
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 1:17 PM
Share

Group Captain Varun Singh Death : ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એક માત્ર એવા વ્યક્તિ હતા જે તમિલનાડુમાં 8મી ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) બચી ગયા હતા. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં (Command Hospital) સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat) અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દેશ તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે

તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnadu Chopper Crash) ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત બચ્યા હતા. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી,ત્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 13 લોકોએ જીવ ગુમાવ્યા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતુ કે, ભારતીય વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત નાજુક છે પરંતુ તેમની હાલત સ્થિર છે. તમને જણાવવુ રહ્યુ કે, તે બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

પ્રધાન મંત્રી મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ

પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીએ (PM Narendra Modi) શોકની લાગણી વ્યક્ત કરતા લખ્યુ કે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, બહાદુરી અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરી. તેમના નિધનથી હું અત્યંત દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની વિપુલ સેવા ક્યારેય ભૂલાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ…..

ગ્રુપ કેપ્ટનને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે,નેવીમાં ગ્રુપ કેપ્ટન વરુણ ખૂબ જ અનુભવી પાયલટ હતા. તેમની ઉતકૃષ્ઠ કામગિરી માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે, આ સૌથી મોટો મેડલ છે. આ મેડલ તેમને એલસીએ તેજસની ઉડાન દરમિયાન આવી પડેલી કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે બચાવવા બદલ આપવામાં આવ્યો હતો.

વિલંબ કર્યા વિના પરિસ્થિતિ સંભાળી

તે 12 ઓક્ટોબર 2020ના રોજ તેજસની ફ્લાઈટમાં હતો. આ પ્લેન તે એકલા જ ઉડાવી રહ્યા હતા. ત્યારે આ પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. કોકપીટ પ્રેશર સિસ્ટમની નિષ્ફળતાને કારણે પરિસ્થિતિ સતત વણસી રહી હતી. તેણે વિલંબ કર્યા વિના પરિસ્થિતિને સંભાળી એટલું જ નહીં યોગ્ય નિર્ણય પણ લીધો હતો. દેશના નાગરિકો વરૂણ સિંહના બલિદાનને હંમેશા યાદ રાખશે.

આ પણ વાંચો : Maharashtra : ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે તંત્રનો આવકારદાયક નિર્ણય, હવે મુંબઈ એરપોર્ટ પર માત્ર આટલા રૂપિયામાં થશે RT-PCR ટેસ્ટ

આ પણ વાંચો : ચીનને તેની જ ભાષામાં અપાશે જવાબ, લદ્દાખ સરહદે હાઈસ્પીડ ઈન્ટરનેટ ચીનને કરશે પરેશાન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">