જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં આજથી ફરી શરૂ થશે સુનાવણી, મેરિટના આધારે સુનાવણી કરવી કે નહી તે કરાશે નક્કી

26મી મેના રોજ થયેલી સુનાવણીમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવે વાદી મહિલાઓ દ્વારા કરાયેલા દાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ 12 મુદ્દા પર દલીલો કરી હતી.

જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં આજથી ફરી શરૂ થશે સુનાવણી, મેરિટના આધારે સુનાવણી કરવી કે નહી તે કરાશે નક્કી
Gyanvapi Masjid ( file photo )
Follow Us:
| Updated on: Jul 04, 2022 | 7:51 AM

ઉત્તર પ્રદેશના વારાણસીમાં (Varanasi) આજથી જિલ્લા ન્યાયાધીશ અજયકૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસની (Gyanvapi-Shringar Gauri case) યોગ્યતા પર સુનાવણી શરૂ થશે. એક મહિના પહેલા, શ્રૃંગાર ગૌરીની મૂળ અરજીને ફગાવવા માટે મુસ્લિમ પક્ષ તરફથી 26 મુદ્દાઓ પર દલીલો રજૂ કરવામાં આવી હતી. આ પછી, સિવિલ કોર્ટ બંધ હોવાને કારણે, કોર્ટે સુનાવણી 4 જુલાઈ સુધી ટાળી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલાને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. જે બાદ સુનાવણી થવાની હતી. અંજુમન ઈંતજામિયા મસ્જિદે સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 07 નિયમ 11 હેઠળ દાવો પર સુનાવણી માટે અરજી કરી હતી.

આ કેસમાં ડિસ્ટ્રિક્ટ જજે બંને પક્ષોને સાંભળ્યા બાદ મેરિટના આધારે સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો અને 26મી મેના રોજ થયેલી સુનાવણીમાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવે વાદી મહિલાઓ દ્વારા કરાયેલા દાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ 12 મુદ્દા પર દલીલો કરી હતી. કોર્ટે સુનાવણી 30 મે સુધી મુલતવી રાખી હતી અને 30 મેના રોજ પ્રતિવાદી એડવોકેટ અભયનાથ યાદવે 1937ના દિન મુહમ્મદ કેસને ટાંકીને ટ્રાયલને રદ કરવાની માંગ કરી હતી. આ પછી જિલ્લા ન્યાયાધીશે સુનાવણીની આગામી તારીખ 4 જુલાઈ નક્કી કરી હતી.

વીડિયો ફૂટેજ લીક કેસની પણ સુનાવણી થઈ શકે છે

આ સાથે શ્રૃંગાર ગૌરી સહિત અન્ય દેવી-દેવતાઓની પૂજા સાથે સંબંધિત મામલામાં કોર્ટ કમિશનની કાર્યવાહીના વીડિયો ફૂટેજ લીક થવા અંગે પણ સુનાવણી થઈ શકે છે. ફરિયાદી મહિલા સહિત ઘણા લોકો દ્વારા આ અંગે કાર્યવાહીની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. જે કોર્ટ સાંભળી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી જિલ્લા કોર્ટમાં કરવાનો આદેશ આપ્યો હતો.

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં, મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો અને તે પછી કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો અને કહ્યું કે આ મામલાની સુનાવણી જિલ્લા ન્યાયાધીશની કોર્ટ દ્વારા કરવામાં આવે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે જ્યાં હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે શિવલિંગ મળી આવ્યું છે, તેને સાચવી રાખવું જોઈએ અને કોઈને ત્યાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">