AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ XE વેરિએન્ટને લઈ કરી બેઠક, મોનિટરિંગ અને સર્વિલાન્સ સિસ્ટમને મજબૂત કરવાનો નિર્દેશ

મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે ચાલી રહેલી રસીકરણ ઝુંબેશને પૂરેપૂરી ઝડપે ચલાવવામાં આવે અને તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી આપવામાં આવે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ XE વેરિએન્ટને લઈ કરી બેઠક, મોનિટરિંગ અને સર્વિલાન્સ સિસ્ટમને મજબૂત કરવાનો નિર્દેશ
Health Minister held Review meeting over XE variantImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 2:30 PM
Share

વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના (Corona virus) નવા XE વેરિઅન્ટને લઈને ભારત સરકારે એક બેઠક યોજી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandaviya) આ પ્રકાર અંગે ચર્ચા કરવા નિષ્ણાતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે અધિકારીઓને નવા પ્રકારો અને કેસોની દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો. તેમણે ટ્વીટ કર્યું કે મોનિટરિંગ અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે કોવિડ-19નું ઓમિક્રોન XE વેરિઅન્ટ (XE Variant) વિશ્વના દેશો માટે માથાનો દુખાવો બની ગયું છે.

નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે. પૉલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, આઈસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ, નીતિ આયોગના ડૉ. એનકે અરોરા અને આરોગ્ય મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા. દવા સંબંધિત મૂળભૂત બાબતોની સમીક્ષા દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને કોવિડની સારવાર માટે દવાઓ અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવા કહ્યું.

સ્વાસ્થ્ય મંત્રીએ બેઠક બાદ કર્યુ ટ્વીટ

રસીકરણને ઝડપી કરવાનો નિર્દેશ

મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે ચાલી રહેલી રસીકરણ ઝુંબેશને પૂરેપૂરી ઝડપે ચલાવવામાં આવે અને તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી આપવામાં આવે. મળતી માહિતી મુજબ માંડવિયાએ નવા XE વેરિઅન્ટનો અભ્યાસ કરવાનું પણ કહ્યું છે. આ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તેના કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં વાયરસની ચોથી લહેરનો ખતરો વધી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ડરવાની જરૂર નથી.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળ્યા કેસ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેના કેસ મળ્યા પછી NTAGI (National Technical Advisory Group on Immunisation)ના ચીફ એનકે અરોરાએ કહ્યું કે ભારતમાં XE વેરિઅન્ટ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના એક્સ સ્ટ્રેનની વાત આવે છે તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તેનાથી ગંભીર સ્થિતિનું નિર્માણ થતું નથી અને વર્તમાન ડેટા મુજબ ભારતમાં તેના ઝડપી પ્રસારનું વલણ જોવા મળ્યું નથી.

આ પણ વાંચો:  Ukraine Russia War : મારીયુપોલ પર કેમિકલ હુમલો હજારો લોકો માર્યા ગયા, જાણો 10 પોઈન્ટમાં યુદ્ધ સાથે જોડાયેલા મોટા અપડેટ્સ

આ પણ વાંચો: Saina Nehwal કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સમાં નહીં રમે, BAIને લખયો પત્ર, ચાહકો નિરાશ થયા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">