AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurugram: વિશ્વને રસ્તો બતાવનાર સાયબર સિટી ગુરુગ્રામ કેમ નફરત અને હિંસાનું નર્સરી બની ગયું છે?

પહેલા આગ નૂહમાં લાગી અને થોડી જ વારમાં ગુરુગ્રામ પણ તેની ઝપેટમાં આવી ગયું. ગુરુગ્રામમાં હિંસા મોડી રાત સુધી ચાલુ રહી અને વિવિધ સેક્ટરોમાં આગચંપી અને તોડફોડના અહેવાલો છે.

Gurugram: વિશ્વને રસ્તો બતાવનાર સાયબર સિટી ગુરુગ્રામ કેમ નફરત અને હિંસાનું નર્સરી બની ગયું છે?
Gurugram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 12:52 PM
Share

મોટી મોટી ઇમારતો અને વાહનોની કતારો… જ્યારે તમે રાજધાની દિલ્હીથી (Delhi) ગુરુગ્રામ જાઓ છો, ત્યારે આ સાયબર હબ વિસ્તારનો નજારો દેખાય છે. ગુરુગ્રામ (Gurugram) એ ઝડપથી વિકસતા ભારતની ઓળખ છે. પરંતુ આજકાલ તેની છબી સાવ અલગ છે. આ દિવસોમાં ગુરુગ્રામ હિંસા અંગે ચર્ચામાં છે, જ્યાં બે સમુદાયો એકબીજા સાથે અથડામણ કરી રહ્યાં છે. ગુરુગ્રામમાં આવી સ્થિતિ પહેલીવાર નથી બની, છેલ્લા 2-3 વર્ષોમાં વારંવાર આવું બન્યું છે.

ગુરુગ્રામમાં પણ હિંસા ફેલાઈ

હરિયાણાના નૂહમાં સોમવારે એક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો, જે બાદમાં મોટી હિંસામાં ફેરવાઈ ગઈ હતી. પહેલા આ આગ નૂહમાં લાગી અને થોડી જ વારમાં ગુરુગ્રામ પણ તેની ઝપેટમાં આવી ગયું. ગુરુગ્રામમાં હિંસા મોડી રાત સુધી ચાલુ રહી અને વિવિધ સેક્ટરોમાં આગચંપી અને તોડફોડના અહેવાલો છે.

ગુરુગ્રામમાં શાળાઓ બંધ કરવી પડી

ન્યૂઝ એજન્સી PTI અનુસાર, સોમવારે મોડી રાત્રે સેક્ટર 57માં મસ્જિદના ઈમામને ટોળાએ ગોળી મારી દીધી હતી. માત્ર સોમવારે જ નહીં પરંતુ મંગળવારે પણ ગુરુગ્રામના કેટલાક વિસ્તારોમાં આગચંપી થવાની ચર્ચા હતી. ગુરુગ્રામના સોહનામાં જ દુકાનો સળગાવવાની અને તોડફોડની વાત સામે આવી હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે વહીવટીતંત્રને ગુરુગ્રામમાં શાળાઓ બંધ કરવી પડી હતી.

વારંવાર બને છે આવા કિસ્સાઓ

હરિયાણાના હાઈટેક શહેરમાં જ્યાં લોકો પોતાનું કરિયર બનાવવા જઈ રહ્યા છે ત્યાં સાંપ્રદાયિક વાતાવરણ સર્જાઈ રહ્યું છે. નૂહ હિંસા પછી બગડેલો માહોલ કંઈ નવું નથી, ગુરુગ્રામ છેલ્લા 2-3 વર્ષથી નમાઝને લઈને હેડલાઈન્સમાં છે. આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જ્યાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને વિવાદ થયો છે.

આ પણ વાંચો : Haryana Violence: ગુરુગ્રામ બાદ હવે દિલ્હીમાં હિંસાનો ખતરો, ફોર્સ તૈનાત, પોલીસ પેટ્રોલિંગ પણ વધારાયું

અહીં મોટી સંખ્યામાં મુસ્લિમો છે જેઓ ફેક્ટરીઓ કે ઈમારતોમાં કામ કરે છે. આ મજૂર વર્ગ શુક્રવારની નમાજ માટે પાર્ક અથવા જૂની ઇમારતોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સમયાંતરે હિન્દુવાદી સંગઠનોએ આવું ન કરવાની ચેતવણી આપી છે.

છેલ્લા પાંચ વર્ષમાં બનાવોમાં થયો વધારો

વર્ષ 2018માં નમાઝ અંગેનો વિરોધ હોય, ઓક્ટોબર 2022માં મસ્જિદમાં ભીડનો પ્રવેશ હોય કે પછી નૂહમાં થયેલી હિંસા બાદ ગુરુગ્રામમાં બગડેલું વાતાવરણ હોય. આ બધી ઘટનાઓ 21મી સદીમાં મિલેનિયમ સિટીનું બિરુદ મેળવનાર ગુરુગ્રામની ઈમેજ બગાડવા જઈ રહી છે અને તે ઝગઝગાટની પાછળ છુપાયેલ ઘૃણાસ્પદ સત્યને સામે લાવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">