AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana Violence: ગુરુગ્રામ બાદ હવે દિલ્હીમાં હિંસાનો ખતરો, ફોર્સ તૈનાત, પોલીસ પેટ્રોલિંગ પણ વધારાયું

નૂહ હિંસામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને હવે સ્થિતિને પાટા પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાનો તાપ રાજધાની દિલ્હી સુધી પહોંચી રહ્યો છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે.

Haryana Violence: ગુરુગ્રામ બાદ હવે દિલ્હીમાં હિંસાનો ખતરો, ફોર્સ તૈનાત, પોલીસ પેટ્રોલિંગ પણ વધારાયું
after Gurugram there is danger of violence in Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 8:32 AM
Share

હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં હિંસા બાદ વાતાવરણ તંગ છે. આ હિંસામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને હવે સ્થિતિને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાનો તાપ રાજધાની દિલ્હી સુધી પહોંચી રહ્યો છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે.

નૂહમાં હિંસા બાદ હવેે દિલ્હીમાં ખતરો

દિલ્હી પોલીસે મંગળવારે રાજધાનીના વિવિધ ભાગોમાં પેટ્રોલિંગ કર્યું, નૂહ-ગુરુગ્રામની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે પોલીસ આસપાસના વિસ્તારોમાં અને દેશમાં બનતી ઘટનાઓ પર નજર રાખી રહી છે અને દિલ્હી પર તેની અસરને લઈને સતર્ક છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે તે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અત્યારે શાંતિ સમિતિઓ સાથે બેઠકો થઈ રહી છે, અમે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છીએ અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

હરિયાણા નજીકના અનેક જિલ્લા એલર્ટ પર

પોલીસ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશના વિસ્તારો અને હરિયાણાને અડીને આવેલા સંવેદનશીલ જિલ્લાઓમાં પણ એલર્ટ પર છે. યુપીના મથુરા, આગ્રા, ફિરોઝાબાદ, સહારનપુર, મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, હાપુડ, અલીગઢ, શામલી અને ગૌતમ બુદ્ધ નગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હિંસામાં 5ના મોત

નૂહમાં યાત્રા પર પથ્થર મારોની ઘટના બાદ હિંસાની સ્થિતિ વણસી છે ત્યારે અત્યાર સુધી નૂહ હિંસામાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. જો કે ઘટના બની ત્યારે 3 લોકોના મોતની જાણ થઈ હતી. જેમાં એક સત્તાવાર નિવેદન અનુસાર, હિંસાને પગલે ગુરુગ્રામથી નૂહ સુધી તૈનાત હોમગાર્ડ્સ નીરજ અને ગુરસેવનું ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “હરિયાણા પોલીસ આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પ્રિયજનને ગુમાવવાથી થયેલા નુકસાનની ભરપાઈ કોઈ રકમ નહીં કરી શકે, પરંતુ તેમ છતાં, હરિયાણા પોલીસ શોકગ્રસ્ત પરિવારોને 57 લાખ રૂપિયા અને તમામ પ્રકારની મદદ આપશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">