કોંગ્રેસનો આંતરકલહ ! ગુલામનબીએ J&K કેમ્પેઈન કમિટિના અધ્યક્ષ બનવાની હાઈકમાન્ડને ના પાડી

|

Aug 17, 2022 | 6:43 AM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સ્વાસ્થ્ય સંબંધી કારણોસર પ્રચાર સમિતિનું અધ્યક્ષપદ સંભાળવાનો ઇનકાર કરી દીધો છે. આઝાદે કોંગ્રેસ નેતૃત્વને પોતાના નિર્ણયની વાત જણાવી દીધી છે.

કોંગ્રેસનો આંતરકલહ ! ગુલામનબીએ J&K કેમ્પેઈન કમિટિના અધ્યક્ષ બનવાની હાઈકમાન્ડને ના પાડી
Ghulamnabi Azad

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) સ્વાસ્થ્ય સંબંધી કારણોસર, જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir ) પ્રચાર સમિતિનું અધ્યક્ષપદ સંભાળવાનો ઇનકાર કરી દીધો છે. આઝાદે કોંગ્રેસ નેતૃત્વને આ વાત જણાવી છે. અગાઉ, તેમણે જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળવાનો પણ ઇનકાર કર્યો હતો. આઝાદનું તાજેતરમાં મોટું ઓપરેશન થયું હતું. આઝાદે તેમને જવાબદારી આપવા બદલ નેતૃત્વનો આભાર પણ માન્યો છે. કોંગ્રેસે મંગળવારે ગુલામ નબી આઝાદના નજીકના ગણાતા વકાર રસૂલ વાનીને જમ્મુ અને કાશ્મીર એકમના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે સોનિયા ગાંધીએ જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ સમિતિ માટે ચૂંટણી પ્રચાર સમિતિ અને રાજકીય બાબતોની સમિતિ (પીએસી) સહિત સાત સમિતિઓની પણ રચના કરી છે. વેણુગોપાલે કહ્યું કે સોનિયાએ પ્રદેશ અધ્યક્ષ પદેથી ગુલામ અહમદ મીરનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમના સ્થાને રસૂલ વાનીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.

આઝાદના નજીકના ગણાતા, વાની રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને બનિહાલથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદને ચૂંટણી પ્રચાર સમિતિના વડા બનાવવામાં આવ્યા હતા, સાથે જ તેમને PACમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આઝાદ કોંગ્રેસના ‘G23’ જૂથના અગ્રણી સભ્ય રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આઝાદના સંબંધો સુધર્યા છે

આ નવી નિમણૂંકોથી એવું લાગે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ અને આઝાદ વચ્ચેના સંબંધો સુધર્યા છે. આઝાદે 15 ઓગસ્ટે રાહુલ ગાંધી સાથે ‘આઝાદી ગૌરવ યાત્રા’માં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસે વરિષ્ઠ નેતા રમણ ભલ્લાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટીએ જમ્મુ અને કાશ્મીર માટે સંકલન સમિતિ, મેનિફેસ્ટો સમિતિ, પ્રચાર અને પ્રચાર સમિતિ, શિસ્ત સમિતિ અને રાજ્ય ચૂંટણી સમિતિની પણ રચના કરી છે.

સૈફુદ્દીન સોઝ મેનિફેસ્ટો કમિટીના વડા બન્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈફુદ્દીન સોઝને મેનિફેસ્ટો કમિટીના વડા બનાવવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 ની વિશેષ જોગવાઈઓ નાબૂદ થયા પછીથી વિધાનસભા અસ્તિત્વમાં નથી. સીમાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીની તારીખને લઈને ચૂંટણી પંચ કે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ

એરટેલની 5G સ્પેક્ટ્રમની ખરીદી કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થશે

Next Article