AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Riots: ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા? અમિત શાહે જણાવ્યું મૂળ કારણ

શાહનું નિવેદન સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ બાદ આવ્યું છે જેમાં કોર્ટે ગુજરાત રમખાણો(Gujarat Riots 2002)ને લઈને પીએમ મોદી વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે જાણીએ કે ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા?

Gujarat Riots: ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા? અમિત શાહે જણાવ્યું મૂળ કારણ
Gujarat Riots, Amit Shah InterviewImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 2:02 PM
Share

20 વર્ષના લાંબા બ્રેક બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Home Minister Amit Shah)2002ના ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. ગૃહમંત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ રમખાણો દરમિયાન શું થયું. શાહે કહ્યું કે ગુજરાત રમખાણો(Gujarat Riots 2002)ને લઈને પીએમ અને ભાજપ સરકાર પરના તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે આને ભાજપ અને પીએમ મોદીને બદનામ કરવાનું આયોજનબદ્ધ કાવતરું ગણાવ્યું હતું. શાહનું નિવેદન સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ બાદ આવ્યું છે જેમાં કોર્ટે ગુજરાત રમખાણોને લઈને પીએમ મોદી (PM Narendra Modi)વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે જાણીએ કે ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા?

ગોધરા ટ્રેન સળગાવવી એ રમખાણોનું મૂળ કારણ

ગુજરાત રમખાણોનું મૂળ કારણ જણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે ગોધરા ટ્રેન સળગાવવાના કારણે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે 16 દિવસના બાળક સહિત 59 લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો. શાહે જણાવ્યું હતું કે રમખાણો ન ફેલાય તે માટે ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પરિવારો દ્વારા મૃતદેહોને બંધ એમ્બ્યુલન્સમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

શાહે આ દરમિયાન કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે મોદીજીએ SIT સમક્ષ હાજર થઈને નાટક નથી કર્યું – મારા સમર્થનમાં સામે આવો, ધારાસભ્યો અને સાંસદોને બોલાવો અને ધરણા કરો. જો એસઆઈટી સીએમને પૂછપરછ કરવા માંગતી હતી, તો તેઓ પોતે સહકાર આપવા તૈયાર હતા. આખરે વિરોધ થાય પણ શા માટે?

આરોપ લગાવનાર પીએમ મોદીની માફી માંગે: અમિત શાહ

ગુજરાત રમખાણોના મામલામાં પીએમ મોદી પર આરોપ લગાવનારાઓની માફી માંગવાની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પછી કોઈએ ધરણા કર્યા ન હતા અને અમે કાયદાને સહયોગ આપ્યો અને મારી પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ધરણાં-પ્રદર્શન થયા ન હતા. જે લોકોએ આ મામલે મોદીજી પર આરોપ લગાવ્યા હતા, જો તેમની અંતરાત્મા હોય તો તેમણે મોદીજી અને બીજેપી નેતાની માફી માંગવી જોઈએ.

ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રમખાણોને લઈને ન્યૂઝ એજન્સી ANI સાથે ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. મેં પીએમ મોદીનું દર્દ નજીકથી જોયું છે.

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">