AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Riots: ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા? અમિત શાહે જણાવ્યું મૂળ કારણ

શાહનું નિવેદન સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ બાદ આવ્યું છે જેમાં કોર્ટે ગુજરાત રમખાણો(Gujarat Riots 2002)ને લઈને પીએમ મોદી વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે જાણીએ કે ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા?

Gujarat Riots: ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા? અમિત શાહે જણાવ્યું મૂળ કારણ
Gujarat Riots, Amit Shah InterviewImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 2:02 PM
Share

20 વર્ષના લાંબા બ્રેક બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Home Minister Amit Shah)2002ના ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. ગૃહમંત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ રમખાણો દરમિયાન શું થયું. શાહે કહ્યું કે ગુજરાત રમખાણો(Gujarat Riots 2002)ને લઈને પીએમ અને ભાજપ સરકાર પરના તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે આને ભાજપ અને પીએમ મોદીને બદનામ કરવાનું આયોજનબદ્ધ કાવતરું ગણાવ્યું હતું. શાહનું નિવેદન સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક દિવસ બાદ આવ્યું છે જેમાં કોર્ટે ગુજરાત રમખાણોને લઈને પીએમ મોદી (PM Narendra Modi)વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે જાણીએ કે ગુજરાતમાં રમખાણો કેવી રીતે થયા?

ગોધરા ટ્રેન સળગાવવી એ રમખાણોનું મૂળ કારણ

ગુજરાત રમખાણોનું મૂળ કારણ જણાવતા ગૃહમંત્રીએ કહ્યું કે ગોધરા ટ્રેન સળગાવવાના કારણે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે 16 દિવસના બાળક સહિત 59 લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો. શાહે જણાવ્યું હતું કે રમખાણો ન ફેલાય તે માટે ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પરિવારો દ્વારા મૃતદેહોને બંધ એમ્બ્યુલન્સમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

શાહે આ દરમિયાન કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે મોદીજીએ SIT સમક્ષ હાજર થઈને નાટક નથી કર્યું – મારા સમર્થનમાં સામે આવો, ધારાસભ્યો અને સાંસદોને બોલાવો અને ધરણા કરો. જો એસઆઈટી સીએમને પૂછપરછ કરવા માંગતી હતી, તો તેઓ પોતે સહકાર આપવા તૈયાર હતા. આખરે વિરોધ થાય પણ શા માટે?

આરોપ લગાવનાર પીએમ મોદીની માફી માંગે: અમિત શાહ

ગુજરાત રમખાણોના મામલામાં પીએમ મોદી પર આરોપ લગાવનારાઓની માફી માંગવાની વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ પછી કોઈએ ધરણા કર્યા ન હતા અને અમે કાયદાને સહયોગ આપ્યો અને મારી પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ધરણાં-પ્રદર્શન થયા ન હતા. જે લોકોએ આ મામલે મોદીજી પર આરોપ લગાવ્યા હતા, જો તેમની અંતરાત્મા હોય તો તેમણે મોદીજી અને બીજેપી નેતાની માફી માંગવી જોઈએ.

ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રમખાણોને લઈને ન્યૂઝ એજન્સી ANI સાથે ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે. મેં પીએમ મોદીનું દર્દ નજીકથી જોયું છે.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">