જાણો ક્યાં ક્યાં શહેર વચ્ચે 12મેથી રેલવે શરૂ કરશે પેસેન્જર ટ્રેન સેવા અને ક્યારથી થશે બુકિંગ?
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે દેશમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવા વિસ્તારોને છૂટ આપવામાં આવી છે જ્યાં કોરોના વાઈરસના ઓછા કેસ છે. દેશમાં તમામ જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને છૂટ અપાઈ છે. આ બધાની વચ્ચે રેલવિભાગ પણ તૈયારીઓ સાથે ટ્રેન […]
![જાણો ક્યાં ક્યાં શહેર વચ્ચે 12મેથી રેલવે શરૂ કરશે પેસેન્જર ટ્રેન સેવા અને ક્યારથી થશે બુકિંગ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/09/irctcrailway-99_5.jpg?w=1280)
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવી શકાય તે માટે દેશમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે એવા વિસ્તારોને છૂટ આપવામાં આવી છે જ્યાં કોરોના વાઈરસના ઓછા કેસ છે. દેશમાં તમામ જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે અને છૂટ અપાઈ છે. આ બધાની વચ્ચે રેલવિભાગ પણ તૈયારીઓ સાથે ટ્રેન ચલાવશે. દેશના મુખ્ય શહેરોથી દિલ્હી વચ્ચે ટ્રેન દોડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દેશમાં રેલવે 12મેથી શરૂ કરશે પેસેન્જર ટ્રેન
Indian Railways has decided for the gradual resumption of passenger train services but existing Shramik special trains will continue to run as per current system on the request of the concerned state governments: Ministry of Railways pic.twitter.com/8uVIy9DtxC
— tv9gujarati (@tv9gujarati) May 10, 2020
આ પણ વાંચો : આજે રાજ્યમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ, કુલ આંક 8195 થયો, જાણો જિલ્લા મુજબ વિગત
હાલ દેશમાં જે લોકો અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે તેમને ઘરે પહોંચાડવા માટે ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે તબક્કાવાર પોતાની સેવા શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે. 12મેથી કોરોનાના સંકટ વચ્ચે ભારતીય રેલવે પેસેન્જર સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં દિલ્હીથી દિબ્રુગઢ, અગરતલ્લા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવંતપુરુમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્ર, અમદાવાદ અને જમ્મુ સુધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ જાણકારી રેલમંત્રીએ પિયૂષ ગોયલે ટ્વીટ કરીને આપી હતી.
આ લોકેશન બાદ અન્ય શહેરો વચ્ચે પણ પેસેન્જર ટ્રેન સેવા શરુ કરવામાં આવશે. જો આ ટ્રેન કોચ ઉપલબ્ધ હશે તો જ શરૂ કરાશે. રેલવેના મોટાભાગના કોચમાં કોરોનાના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન માટેનું બુકિંગ 11મે સાંજે 4 વાગ્યે કરી શકાશે. જે લોકોની ટિકિટ કન્ફર્મ થશે તેમને જ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી આપવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]