કેન્દ્ર સરકારે અનલોક-2ની નવી ગાઈડલાઈન જારી કરી દીધી છે. આ ગાઈડલાઈન અનુસાર કન્ટેન્મેન્ટ ઝોન સિવાય તમામ જગ્યાએ તમામ ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી છે. કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાત્રિના 10 કલાકથી લઈને સવારના 5 કલાક સુધી કર્ફયુ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Govt of India announces guidelines for ‘Unlock 2’ to be in force till July 31st.#TV9News #UNLOCK2 #Unlock2 pic.twitter.com/RkddBndI3s
— tv9gujarati (@tv9gujarati) June 29, 2020
આ પણ વાંચો : ભારત સરકારનો મોટો નિર્ણય, ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર લગાવ્યો પ્રતિબંધ
જાણો કઈ કઈ ગતિવિધિઓ પર યથાવત રહેશે પ્રતિબંધ?
તમામ જગ્યાએ 31 જૂલાઈ સુધી સ્કૂલ, કોલેશ, કોચિંગ સંસ્થાનો બંધ રહેશે. આ ઉપરાંત ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિગને પ્રોત્સાહન આપવા કહેવામાં આવ્યું છે.તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ રહેશે. મેટ્રો સેવાઓ શરૂ કરી શકાશે નહીં. આ સિવાય સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ આ જગ્યાઓ બંધ રહેશે. આ ઉપરાંત સામાજિક, રાજનીતિક, ખેલ, મનોરંજન, એકેડેમિક, સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજન પર પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:00 pm, Mon, 29 June 20