મણિપુરમાં વિદ્યાર્થીઓની હત્યા બાદ વાતાવરણ ડહોળાયું, બે દિવસ શાળા-કોલેજો બંધ, ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત

બે યુવકોના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયાના કલાકો પછી, ઇમ્ફાલમાં વાતાવરણ ડહોળાયું છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઈમ્ફાલમાં રેલી કાઢી અને હત્યારાઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી.

મણિપુરમાં વિદ્યાર્થીઓની હત્યા બાદ વાતાવરણ ડહોળાયું, બે દિવસ શાળા-કોલેજો બંધ, ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત
Manipur situation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 8:12 AM

મંગળવારે ઇમ્ફાલમાં બે યુવકોની હત્યાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ મણિપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. મણિપુરમાં ફરીથી સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, લાઠીચાર્જના થોડા કલાકો બાદ જ મણિપુર સરકારે આગામી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં તમામ શાળાઓ અને કોલોજને આગામી 29 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇમ્ફાલ ખીણમાં બે યુવકોની હત્યાના વિરોધમાં, દેખાવ કરી રહેલી ભીડ પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મણિપુર રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળ આવતા VPN દ્વારા મોબાઈલ ઈન્ટરનેટ ડેટા સેવાઓ, ઈન્ટરનેટ/ડેટા સેવાઓ, આગામી 1 ઓક્ટોબર, 2023 ના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસે વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા

બે યુવકોના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયાના કલાકો પછી, ઇમ્ફાલમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ રેલી કાઢી અને હત્યારાઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રીના કાર્યાલય સચિવાલય તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ પોલીસે તેમને ઇમ્ફાલના પૂર્વ જિલ્લાના સંજેન્થોંગ પાસે રોક્યા હતા. આ પછી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે વિદ્યાર્થીઓને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. પોલીસે આંદોલનકારી વિદ્યાર્થીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા
વિરાટ કોહલી-અનુષ્કા શર્માના બોડીગાર્ડની સેલરી જાણી ચોંકી જશો
બટાકાની છાલ ઉતારવાનો શોર્ટકટ થયો વાયરલ, જુઓ Video
Cloves Chewing Benefits : 15 દિવસ સુધી લવિંગ ચાવવાના 5 ફાયદા જાણી ચોંકી જશો
નવરાત્રીમાં ખવાતી આ વસ્તુથી શરીરમાં ઝડપથી વધે છે B12, જાણો નામ
અમદાવાદમાં આ 10 ફરવાલાયક જગ્યાઓ છે શહેરીજનોની પહેલી પસંદ , જુઓ Photos

45 આંદોલનકારી વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ

અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ કાર્યવાહીમાં 45થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાની વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાંથી 12ની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે 33 વિદ્યાર્થીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

CMએ CBIને તપાસ સોંપી

મામલાની ગંભીરતા જોઈને મુખ્યમંત્રી એન બિરેન સિંહે સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી દીધી છે. સીએમ વતી એવું કહેવામાં આવ્યું છે કે સીબીઆઈની મદદથી પોલીસ વિદ્યાર્થીઓના ગુમ થવાના સંજોગો શોધી કાઢશે અને તેમની હત્યા કરનારા કાવતરાખોરોની ઓળખ કરશે અને તેમને વહેલી તકે જેલમાં મોકલશે. સુરક્ષાદળોએ આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">