‘સરકારો તો બને છે અને પડી ભાંગે છે’, અનેક નેતાઓ સાથેની બેઠક બાદ સપા સુપ્રીમો અખીલેશે આપ્યા મોટા સંકેત

|

Jun 06, 2024 | 4:22 PM

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખીલેશ યાદવે ગઠબંધનને લઈને અનેક નેતાઓ સાથે બેઠક કરી છે. અખીલેશ હાલ દિલ્હીમાં છે. તેમણે TMC પ્રમુખ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરી. તેમણે સપા ઓફિસમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મિટીંગ કરી. આ બેઠકો બાદ અખીલેશે કહ્યુ સરકારો તો બને છે અને પડી ભાંગે છે.

સરકારો તો બને છે અને પડી ભાંગે છે, અનેક નેતાઓ સાથેની બેઠક બાદ સપા સુપ્રીમો અખીલેશે આપ્યા મોટા સંકેત

Follow us on

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવ્યા બાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સક્રિય છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ગઠબંધનની બેઠક યોજાઈ હતી. તે જ સમયે, હવે ગુરુવારે, સપા પ્રમુખ અખિલેશે મહાગઠબંધનના અનેક નેતાઓ સાથે બેઠક કરી. અખિલેશ હાલ દિલ્હીમાં છે. તેઓ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને મળ્યા હતા. તેમણે SP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકો બાદ અખિલેશે કહ્યું કે, જો સરકાર બને છે તો પડી પણ જાય છે. અખિલેશે આ નિવેદન સાથે મોટા સંકેતો આપ્યા છે.

અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે યુપીમાં જનતાના મુદ્દા પર ચૂંટણી યોજાઈ હતી. જનતાએ તેમના મુદ્દા પર મતદાન કર્યું અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો. લોકશાહીમાં સરકારો બને છે તો પડી પણ જાય છે, પરંતુ જ્યારે તમારી પાસે બહુમતી ન હોય ત્યારે તમારે અનેક લોકોને ખુશ કરીને સરકાર બનાવવી પડે છે.

સપા પ્રમુખે કહ્યું કે જનતાએ દેશને બચાવવા, બંધારણ બચાવવા અને અનામત બચાવવા માટે આ જનાદેશ આપ્યો છે. અયોધ્યામાં ભાજપની હાર પર અખિલેશે કહ્યું, હું અયોધ્યાની જનતાનો આભાર માનું છું. અયોધ્યામાં રાજ્ય સરકારે લોકોને અન્યાય કર્યો છે. તેમની જમીન લઈ લેવામાં આવી. તેમને યોગ્ય ન મળ્યુ . લોકો સરકારથી નારાજ હતા. સરકાર તેમની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અયોધ્યાથી જીત નોંધાવ્યા બાદ અવધેશ પ્રસાદે કહ્યું કે ચૂંટણી લોકોની છે અને જનતાએ આ ચૂંટણી લડી છે અને આ ચૂંટણી ગરીબી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર લડવામાં આવી છે. જે લોકો રામ લાવ્યા હતા તેમને અમે લાવીશુંના નારા પર અવધેશ પ્રસાદે કહ્યું કે તેઓ રામ નથી લાવ્યા. રામ હંમેશા હતા અને હંમેશા રહેશે અને મારાથી મોટો રામ ભક્ત કોઈ નથી હું અયોધ્યામાં જન્મ્યો છું.

સંજય સિંહે કહ્યું- યોગ્ય સમયે લેશુ યોગ્ય નિર્ણય

આ તરફ AAP સાંસદે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન અત્યારે સરકાર બનાવવાની કોશિષ નહીં કરે. યોગ્ય સમયની રાહ જોઈશુ. બુધવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજર રહેલા AAP સાંસદ સંજય સિંહે કહ્યું, ‘જનાદેશ મોદી સરકારની વિરુદ્ધ છે. અમે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં નિર્ણય લઈશું. બેઠકમાં સામૂહિક રીતે નિર્ણય લેવાયો હતો કે જનાદેશ મોદી સરકારની તાનાશાહીની વિરુદ્ધ છે, બંધારણને ખતમ કરવાના પ્રયાસની વિરુદ્ધ છે, અનામતને નાબૂદ કરવાના પ્રયાસની વિરુદ્ધ છે.

સંજય સિંહે વધુમાં કહ્યું કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. તેણે કહ્યું કે યોગ્ય સમય શું હશે એ કેમેરા સામે ન જણાવી શકાય. રાજનીતિમાં માત્ર શપથ લેવા એ જ ઘટનાક્રમ નથી હોતો. અનેક ઘટનાક્રમ હોય છે. અમે વર્તમાન રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો: “વિદેશમાં યુદ્ધ રોકાવી દેનારા પેપરલીક નથી રોકી શકતા”, NEET રિઝલ્ટ વિવાદ પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી

Next Article