શું તમે જાણો છો મહાત્મા ગાંધી ક્યા વિષયમાં નબળા હતા ? જાણો બાપુના જીવનની કેટલીક રસપ્રદ વાતો

મહાત્મા ગાંધીના ઉપદેશો તમામ પેઢીને પ્રેરણા પુરી પાડે છે. ગાંધીજીનું જીવન શાંતિ, અહિંસા અને પ્રામાણિકતા ઘણું બધું શીખવે છે.

શું તમે જાણો છો મહાત્મા ગાંધી ક્યા વિષયમાં નબળા હતા ? જાણો બાપુના જીવનની કેટલીક રસપ્રદ વાતો
Mahatma Gandhi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 1:49 PM

Gandhi Jayanti 2021 : સમગ્ર દેશમાં આજે મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આપણે મહાત્મા ગાંધીને મહાનતા અને બલિદાનની મૂર્તિ તરીકે જોઈએ છીએ. તેમની અહિંસક નીતિઓ અને નૈતિક આધારને કારણે અંગ્રેજો વિરુધ્ધના આંદોલનમાં (Movement) વધુ લોકો જોડાયા હતા. ત્યારે બાપુની જન્મજયંતિ પર આપણે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જાણીશું.

ગાંધીજી આ વિષયમાં નબળા હતા

મહાત્મા ગાંધી બહુ આશાસ્પદ વિદ્યાર્થી ન હતા.વર્ગમાં તેની હાજરી પણ ખુબ ઓછી હતી,ગાંધીજી અંગ્રેજી વિષયમાં તેજસ્વી, જ્યારે ભુગોળમાં બાપુ નબળા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

10 વર્ષની ઉંમર સુધીમાં ગાંધીજીએ ઘણી શાળાઓ બદલી નાખી હતી

2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં (Porbandar) જન્મેલા, મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન પર ઘણા પુસ્તકો લખાયા છે. જેમાં એક પુસ્તક અંતર્ગત જાણવા મળે છે કે, 10 વર્ષની ઉંમર સુધીમાં ગાંધીજીએ ઘણી શાળાઓ બદલી નાખી હતી. શાળાઓ બદલવાના જુદા જુદા કારણો હતા. ઉપરાંત તેમની પરીક્ષાના પરિણામોની વાત કરવામાં આવે તો તેમને 45 થી 55 સુધીની ટકાવારી મળતી હતી.ત્રીજા વર્ગમાં તે 238 દિવસોમાંથી માત્ર 110 દિવસ જ શાળાએ ગયા હતા.

23 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા

1891 માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગાંધીજી ભારત પરત ફર્યા, પરંતુ નોકરીના સંદર્ભમાં તેને દક્ષિણ આફ્રિકા પાછા જવું પડ્યું. તે 23 વર્ષની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા અને એક અઠવાડિયા બાદ ડર્બનથી પ્રોટોરિયા જતી વખતે તેને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. તેની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ (First Class Ticket) હતી, છતા ભેદભાવને કારણે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ. કારણ કે કોઈ પણ ભારતીય કે કાળા લોકો માટે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ હતો. આ ઘટનાએ ગાંધીજીને ખૂબ જ દુ:ખ પહોંચાડ્યું, જેની કિંમત માત્ર આફ્રિકામાં જ નહીં પણ ભારતમાં પણ અંગ્રેજોને ચૂકવવી પડી.

દેશની આઝાદીની લડતમાં જોડાયા

દેશની સ્થિતિને સમજવા માટે ગાંધીજીએ ભારતની આવવાની યોજના બનાવી. તેમણે અસહકાર આંદોલન, સવિનય કાનુન ભંગ આંદોલન, ભારત છોડો આંદોલનનું પણ નેતૃત્વ કર્યું હતુ. દેશની આઝાદીમાં ગાંધીજીના (Gandhiji) યોગદાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પાડી.

સિલાઇ વગરના કપડાં પહેર્યા

મહાત્મા ગાંધી બધા ભારતીયો સાથે સમાનતા દર્શાવવા માટે સિલાઇ વગરના કપડાં પહેરતા હતા. તેણે કહ્યું હતું કે, તે ત્યારે જ પોતાનું આખું શરીર ઢાંકશે, જ્યારે તમામ ભારતીયો પાસે કપડાં હશે. ગાંધીજીના આંદોલન દરમિયાન, બ્રિટિશ સરકારે કોઈને ફોટા લેવાની મંજૂરી આપી ન હતી. બ્રિટિશરો (Britisher) માનતા હતા કે ચળવળ ચિત્ર કરતાં ઘણી મોટી હોઇ શકે છે.

ગાંધીજી હસમુખ સ્વભાવના હતા

મહાત્મા ગાંધીની છબી સામાન્ય રીતે એક ધીર ગંભીર વિચારક, આધ્યાત્મિક અગ્રણી અને શિસ્તબદ્ધ રાજકારણીની રહી છે, પરંતુ તેમની રમૂજ અને સમજશક્તિનો કોઈ જવાબ નહોતો. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ (PM Javaharlal Nehru) પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘જેણે મહાત્માજીની રમૂજી મુદ્રા નથી જોઈ, તે ખૂબ જ મૂલ્યવાન વસ્તુ જોવાથી વંચિત રહી ગયા છે.’

આ પણ વાંચો : કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે બાપુને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, હાથથી બનાવેલો દેશનો સૌથી મોટો તિરંગો જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ……

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">