AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ……

પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, શુક્રવારની સાંજે એક યુવાને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરની બહાર આ યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જાણો પછી શું થયુ......
Nitin Gadkari (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 12:58 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવાર રાત્રે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર એક યુવાને આત્મહત્યાનો (Suicide) પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ,કેન્દ્રીય પ્રધાનના ઘરની બહાર એક યુવકે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, રસ્તાના નિર્માણના કામની તપાસની માંગણી કરતા આ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને સમયસર અટકાવી લેતા તેનો જીવ બચી ગયો હતો.

પત્ર લખીને તપાસની માગ કરી હતી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણા જિલ્લાના મહેકરનો રહેવાસી છે. તેનું નામ વિજય મારોતરાવ પવાર છે. આ યુવકે બે દિવસ પહેલા શેગાંવ-ખામગાંવ પાલખી રોડના ખોટા બાંધકામની તપાસની માંગણી કરતો કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીને પત્ર લખ્યો હતો.જેમાં તેણે આ માંગણી નહીં સંતોષાય તો તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી.

માંગ ન સંતોષાતા આત્મહત્યાનો કર્યો પ્રયાસ

તમને જણાવી દઈએ કે, આ ઘટના નાગપુર જિલ્લાના રાણા પ્રતાપ નગરમાં બની હતી. જેમાં એક યુવકે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના(Nitin Gadkari)  ઘરની બહાર ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ઉલ્લેખનીય છે કે રસ્તાના નિર્માણની તપાસની માંગણી ન સંતોષાતા તેણે આ પગલુ ભર્યુ હતુ.

પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ધમકી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.જેમાં શુક્રવારે સાંજે લગભગ 5 વાગ્યેની આસપાસ આ યુવકે ઝેર ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને અટકાવ્યો. જે બાદ વિજય મારોતરાવને સરકારી હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તબીબોના જણાવ્યા અનુસાર, હાલ તેમની તબિયત સ્થિતિ છે. આ કેસમાં પોલીસ અધિકારીએ યુવક વિરુદ્ધ IPC ની કલમ 309 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Maharashtra: ભૂતપૂર્વ ગૃહમંત્રી માટે મુશ્કેલીઓ વધી શકે છે ! CBI ને 50 પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ગેરરીતિઓ મળી

આ પણ વાંચો : સોશીયલ મીડીયા પર કોઈ પણ મહીલા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરવા પર આ કલમ હેઠળ નોંધાય શકે છે કેસ, જાણો વિગતવાર

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">