AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: 4100 કરોડના ખર્ચ પર G-20 સમિટથી ભારતને શું મળશે?, ચાલો જાણીએ

G-20ના હોસ્ટિંગ રાઈટ્સ મળ્યા બાદ જ ભારત સરકાર તેની તૈયારીઓમાં લાગી ગઈ હતી. અને તેની તૈયારીઓ એક વર્ષથી સતત ચાલતી હતી. એક અહેવાલ અનુસાર, તેની તૈયારી માટે દેશના 50 થી વધુ જિલ્લાઓમાં 200 થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર આયોજન અને G20 કોન્ફરન્સ માટે 4100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ દરમિયાન તમામ ભારતીયોના મનમાં સવાલ એ છે કે દિલ્હીમાં યોજાઈ રહેલી G20 કોન્ફરન્સમાં ભારતને શું મળશે?

G20 Summit: 4100 કરોડના ખર્ચ પર G-20 સમિટથી ભારતને શું મળશે?, ચાલો જાણીએ
G20 Summit What will India get from the G20
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 1:28 PM
Share

આખો દેશ G-20ની ઉજવણી કરી રહ્યો છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ બહાર આવી રહી છે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29 દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ અહીં પહોંચ્યા છે. આ સાથે આ સમગ્ર આયોજન અને G20 કોન્ફરન્સ માટે 100 મિલિયન ડોલર એટલે કે 4100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની જાણકારી મળી રહી છે. આ દરમિયાન તમામ ભારતીયોના મનમાં સવાલ એ છે કે દિલ્હીમાં યોજાઈ રહેલી G20 કોન્ફરન્સમાં ભારતને શું મળશે? ચાલો જાણીએ

હવે સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ગયા વર્ષના G-20ના હોસ્ટિંગ રાઈટ્સ મળ્યા બાદ જ ભારત સરકાર તેની તૈયારીઓમાં લાગી ગઈ હતી. અને તેની તૈયારીઓ એક વર્ષથી સતત ચાલતી હતી. એક અહેવાલ અનુસાર, તેની તૈયારી માટે દેશના 50 થી વધુ જિલ્લાઓમાં 200 થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

G-20 બેઠકમાંથી ભારતને શું મળશે?

1. વિશ્વમાં ભારતની સ્થિતિ મજબૂત થશે – જ્યારે યુક્રેન-રશિયા યુદ્ધને કારણે વિશ્વના મોટાભાગના દેશો બે જૂથમાં વહેંચાયેલા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે G-20 બેઠકમાં યુક્રેન યુદ્ધના મુદ્દાને ઉછાળવો એ એક મોટો પડકાર છે. કારણ કે, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના રાષ્ટ્રાધ્યક્ષો આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે, જેઓ રશિયા વિરુદ્ધ વલણ અપનાવી રહ્યા છે.

નવેમ્બર 2022 માં બાલીની બેઠકમાં યુક્રેન યુદ્ધનો મુદ્દો પ્રભુત્વ ધરાવતો હતો. અંતે, ઘણા દેશોએ એક ઠરાવ પસાર કરીને કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધની વિરુદ્ધ છે, જેનો રશિયા અને ચીન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.ભારત યુક્રેન મુદ્દે પણ ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે ભારતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)નો મુદ્દો આગળ ધપાવ્યો છે. ભારતનું કહેવું છે કે વિકાસશીલ દેશો, વૈશ્વિક દક્ષિણના દેશો અને આફ્રિકન દેશોની હાંસિયામાં ધકેલાઈ ગયેલી આકાંક્ષાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે.

જો ભારતમાં આયોજિત આ બેઠકમાં વન અર્થ, એક પરિવાર અને એક ભવિષ્યનો ઉકેલ મળી જશે તો વિશ્વમાં ભારતની છબી વધુ મજબૂત થશે. વડાપ્રધાન મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે – ભારતની જનસંખ્યા, લોકશાહી, વિવિધતા અને વિકાસ વિશે કોઈ બીજા પાસેથી સાંભળવું એક વાત છે અને તેનો સીધો અનુભવ કરવો બીજી વાત છે. મને ખાતરી છે કે અમારા G-20 પ્રતિનિધિઓ પોતે જ તેને અનુભવશે.

2. રોકાણની શક્યતાઓ- G-20માં સમાવિષ્ટ દેશોનો વિશ્વ અર્થતંત્રમાં 75 ટકા હિસ્સો છે. કારણ એ છે કે અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો તેમાં સામેલ છે. ભારત જી-20 બેઠક દ્વારા રોકાણ વધારવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 બેઠકમાં ભાગ લેવા આવી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર પર સમજૂતી થઈ શકે છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે GE જેટ એન્જિન ડીલ પર પણ વાતચીત આગળ વધી શકે છે. એ જ રીતે ભારત ફ્રાન્સ અને બ્રિટન સાથે પણ વ્યૂહાત્મક સોદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

3. દુનિયાના દેશોમાં બદલાશે નેતૃત્વની ધારણા – અત્યારે મુખ્યત્વે અમેરિકા, રશિયા અને ચીન પોતાને લીડર તરીકે સ્થાપિત કરી રહ્યા છે, પરંતુ G-20 મીટિંગ દ્વારા ભારત પણ આ રેસમાં સામેલ થઈ ગયું છે.

ભારતે G-20માં આફ્રિકન દેશોને સામેલ કરવાની હિમાયત કરી છે. ચીન અને યુરોપિયન યુનિયને G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવા માટે ભારતને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ બેઠક બાદ આ દેશોને G-20ની સ્થાયી સભ્યતા મળી શકે છે. જો આમ થશે તો G-20નું માળખું બદલાઈ જશે અને ભારત આફ્રિકન દેશોની નજરમાં એક મોટા વકીલ તરીકે ઉભરી આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">