MSP Hike : તેલંગાણામાં ડાંગરના ખેડૂતોને MSPમાં વધારો થવાથી થશે મોટો ફાયદો : જી. કિશન રેડ્ડી

બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં માર્કેટિંગ સીઝન 2023-23 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે આ નિર્ણયથી તેલંગાણાના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે.

MSP Hike : તેલંગાણામાં ડાંગરના ખેડૂતોને MSPમાં વધારો થવાથી થશે મોટો ફાયદો : જી. કિશન રેડ્ડી
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 10:55 PM

New Delhi: બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ દરમિયાન, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી હતી. આ અંગે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી તેલંગાણાના ડાંગર, મકાઈ, સૂર્યમુખી અને કપાસના ખેડૂતોને ઘણો ફાયદો થશે.

આ પણ વાચો: PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી USAમાં પણ રચશે ઈતિહાસ, અમેરિકાની સંસદને બે વાર સંબોધન કરનાર પ્રથમ વડાપ્રધાન બનશે

તેલંગાણાથી આવતા કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે વર્ષ 2014થી કેન્દ્ર સરકાર MSPમાં સતત વધારો કરી રહી છે. તેલંગાણા દેશનું બીજું સૌથી મોટું ડાંગર ઉત્પાદક રાજ્ય છે, તેથી અહીંના ખેડૂતોને ડાંગરના MSPમાં વધારાનો લાભ મળશે. 2014 અને 2023 વચ્ચે રાજ્યમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાકોની MSP 60થી 80 ટકા વધી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સૂર્યમુખી અને કપાસના ખેડૂતોને ફાયદો થયો

જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૂર્યમુખી, કપાસ, મકાઈ અને ડાંગરની વિપુલ પ્રમાણમાં ખેતી થાય છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં સૂર્યમુખીના બીજની MSP 80 ટકા વધી છે. તે જ સમયે, કપાસના ખેડૂતોને ફાયદો પહોંચાડવામાં અને તેલંગાણાના હેન્ડલૂમ અને ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહિત કરવામાં MSP વધારવાનો ફાળો છે. 2014થી કપાસના MSPમાં 75 ટકાનો વધારો થયો છે.

અન્નદાતા એટલે ખેડૂતોની આવક પણ 2014થી વધી છે. તેલંગાણા ડાંગરનું બીજું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે અને તે મકાઈનું પણ પુષ્કળ ઉત્પાદન કરે છે. આ બંને પાકોના MSAPમાં 60 ટકા સુધીનો વધારો થયો છે.

આ પાકોની MSP વધી છે

તેલંગાણામાં ઉપલબ્ધ મુખ્ય પાકોમાં, ડાંગર-સાદાની MSP 2014માં 1360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, હવે તે 61 ટકા વધીને 2183 રૂપિયા ક્વિન્ટલ થઈ ગઈ છે. બીજી તરફ, ડાંગર-ગ્રેડ A પહેલા 1400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે હવે 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે, એટલે કે 57 ટકાનો વધારો થયો છે.

તેવી જ રીતે, મકાઈનો ભાવ રૂ. 1310થી રૂ. 2090 ક્વિન્ટલ, સૂર્યમુખીના બિયારણમાં 80 ટકાનો વધારો કરીને રૂ. 3750થી રૂ. 6760 પ્રતિ ક્વિન્ટલ, કપાસ (મીડિયમ સ્ટેપલ) રૂ. 3750થી રૂ. 77 ટકા વધીને રૂ. 6620 રૂપિયા ક્વિન્ટલ અને કપાસ(લોન્ગ સ્ટેપલ)ના 4050થી 73 ટકા વધીને રૂપિયા રૂ. 7020 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે.

ખેડૂતોને થયો આટલો ફાયદો

સરકારનું આ પગલું સામાન્ય બજેટ 2018-19ની ઘોષણા અનુસાર છે, જેમાં એમએસપી પાકની સરેરાશ કિંમત પર 50 ટકા વધુ હોવાનો હતો. તેલંગાણામાં ઉગાડવામાં આવતા પાક સાથે પણ આવું થયું છે.

રાજ્યમાં ડાંગર-સાદાની સરેરાશ કિંમત 1455 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે MSP 50 ટકા વધુ 2183 રૂપિયા છે. જ્યારે મકાઈની કિંમત 1394 રૂપિયા છે, જ્યારે MSP રૂપિયા 2090 ક્વિન્ટલ, સૂર્યમુખીના બીજની કિંમત 4505 રૂપિયા છે, જ્યારે MSP રૂપિયા 6760 અને કપાસ (મધ્યમ સ્ટેપલ)ની કિંમત રૂપિયા 4411 છે જ્યારે MSP રૂપિયા 6620 ક્વિન્ટલ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">