AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona થી મૃત્યુની આશંકાને લીધે ના આપી શકાય આગોતરા જામીન, સુપ્રિમ કોર્ટે બદલ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

Corona થી મૃત્યુની આશંકાને કારણે કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન આપી શકાય નહિ. સુપ્રીમ કોર્ટે(Suprme Court )  ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આગોતરા જામીન અંગેનો નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ.

Corona થી મૃત્યુની આશંકાને લીધે ના આપી શકાય આગોતરા જામીન, સુપ્રિમ કોર્ટે બદલ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો
Supreme Court Of India (File Photo )
| Updated on: May 25, 2021 | 7:05 PM
Share

Corona થી મૃત્યુની આશંકાને કારણે કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન આપી શકાય નહિ. સુપ્રીમ કોર્ટે (Suprme Court ) ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આગોતરા જામીન અંગેનો નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ. Corona ચેપને કારણે મૃત્યુના ભયને કારણે લઇ શકાય નહિ.

આ કેસની વિગત મુજબ અલ્હાબાદ હાઈકોર્ટે ગયા અઠવાડિયે એક આદેશમાં કહ્યું હતું કે જેલમાં વધુ કેદીઓ અને કેસોમાં વધારો થવાને કારણે આગોતરા જામીન મળી શકે છે. યુપી સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ (Suprme Court ) માં અરજી દાખલ કરી હતી.

કેસની સુનાવણી કરતી વખતે જસ્ટીસ વિનીત સરન અને બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું કે ‘તમને ટિપ્પણીથી મુશ્કેલી છે. તે એકપક્ષી ટિપ્પણી હતી કે તમામ લોકોને આગોતરા જામીન આપવા જોઈએ. અમે આ અંગે નોટિસ ફટકારીશું, પરંતુ સ્ટે નહીં લગાવીએ. પરંતુ અમે આવા એકપક્ષીય નિવેદનો પર પ્રતિબંધ મૂકીએ છીએ.

હકીકતમાં, હાઇકોર્ટે આરોપી પ્રતિક જૈનને 130 કેસમાં આગોતરા જામીન આપી દીધા હતા. તેના પછી હાઇકોર્ટના નિર્ણય પર ચર્ચા શરૂ થઈ હતી. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે. તેમાં આરોપીને જેલમાં મોકલવું તેની જીંદગી માટે જોખમી હોઈ શકે છે.

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના  આદેશનો ઉલ્લેખ કર્યો હતો

આ ઉપરાંત પોલીસકર્મીઓ, જેલ કર્મચારીઓ અને અન્ય લોકો માટે તે જોખમી થઇ શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આવા કેસમાં આરોપીને નિશ્ચિત સમય માટે આગોતરા જામીન આપી શકાય છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના જ આદેશનો ઉલ્લેખ કર્યો હતો. આમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ભારતની જેલો ભરેલી છે. આવી સ્થિતિમાં જેલોમાં ભીડ ઓછી કરવાની જરૂર છે.

તેમજ કેદીઓ અને પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ એનવી રમાનાની ખંડપીઠે કહ્યું હતું કે પાછલા વર્ષમાં જે બધા કેદીઓને જામીન અથવા પેરોલ મળી ચૂક્યા છે તેમને જેલની બહાર મોકલવા જોઇએ.

હાઈકોર્ટે કહ્યું  કે આરોપીઓ જીવીત નહીં રહે તો  કેસ કેવી રીતે ચાલશે 

આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ જીવીત નહીં રહે તો તેમના પર કેસ કેવી રીતે ચલાવી શકાય તે વાતથી આપણે આંખો બંધ કરી શકતા નથી. આવી સ્થિતિમાં Corona  રોગચાળા દરમ્યાન તેમને જેલમાં રાખવાથી સુનાવણી શરૂ થાય તે પહેલાં તેમનું મૃત્યુ થવાની સંભાવના વધી જશે.

ઉલ્લેખનીય છે કે યુપીમાં Corona  ની બીજી લહેરમાં ભારે તબાહી જોવા મળી છે. રાજ્યમાં હજુ પણ કોરોનાના લગભગ 77,000 જેટલા સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4000 જેટલા નવા કેસ નોંધાયા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">