Corona થી મૃત્યુની આશંકાને લીધે ના આપી શકાય આગોતરા જામીન, સુપ્રિમ કોર્ટે બદલ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો

Corona થી મૃત્યુની આશંકાને કારણે કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન આપી શકાય નહિ. સુપ્રીમ કોર્ટે(Suprme Court )  ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આગોતરા જામીન અંગેનો નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ.

Corona થી મૃત્યુની આશંકાને લીધે ના આપી શકાય આગોતરા જામીન, સુપ્રિમ કોર્ટે બદલ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો
Supreme Court Of India (File Photo )
Follow Us:
| Updated on: May 25, 2021 | 7:05 PM

Corona થી મૃત્યુની આશંકાને કારણે કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન આપી શકાય નહિ. સુપ્રીમ કોર્ટે (Suprme Court ) ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આગોતરા જામીન અંગેનો નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ. Corona ચેપને કારણે મૃત્યુના ભયને કારણે લઇ શકાય નહિ.

આ કેસની વિગત મુજબ અલ્હાબાદ હાઈકોર્ટે ગયા અઠવાડિયે એક આદેશમાં કહ્યું હતું કે જેલમાં વધુ કેદીઓ અને કેસોમાં વધારો થવાને કારણે આગોતરા જામીન મળી શકે છે. યુપી સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ (Suprme Court ) માં અરજી દાખલ કરી હતી.

કેસની સુનાવણી કરતી વખતે જસ્ટીસ વિનીત સરન અને બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું કે ‘તમને ટિપ્પણીથી મુશ્કેલી છે. તે એકપક્ષી ટિપ્પણી હતી કે તમામ લોકોને આગોતરા જામીન આપવા જોઈએ. અમે આ અંગે નોટિસ ફટકારીશું, પરંતુ સ્ટે નહીં લગાવીએ. પરંતુ અમે આવા એકપક્ષીય નિવેદનો પર પ્રતિબંધ મૂકીએ છીએ.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હકીકતમાં, હાઇકોર્ટે આરોપી પ્રતિક જૈનને 130 કેસમાં આગોતરા જામીન આપી દીધા હતા. તેના પછી હાઇકોર્ટના નિર્ણય પર ચર્ચા શરૂ થઈ હતી. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે. તેમાં આરોપીને જેલમાં મોકલવું તેની જીંદગી માટે જોખમી હોઈ શકે છે.

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના  આદેશનો ઉલ્લેખ કર્યો હતો

આ ઉપરાંત પોલીસકર્મીઓ, જેલ કર્મચારીઓ અને અન્ય લોકો માટે તે જોખમી થઇ શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આવા કેસમાં આરોપીને નિશ્ચિત સમય માટે આગોતરા જામીન આપી શકાય છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના જ આદેશનો ઉલ્લેખ કર્યો હતો. આમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ભારતની જેલો ભરેલી છે. આવી સ્થિતિમાં જેલોમાં ભીડ ઓછી કરવાની જરૂર છે.

તેમજ કેદીઓ અને પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ એનવી રમાનાની ખંડપીઠે કહ્યું હતું કે પાછલા વર્ષમાં જે બધા કેદીઓને જામીન અથવા પેરોલ મળી ચૂક્યા છે તેમને જેલની બહાર મોકલવા જોઇએ.

હાઈકોર્ટે કહ્યું  કે આરોપીઓ જીવીત નહીં રહે તો  કેસ કેવી રીતે ચાલશે 

આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ જીવીત નહીં રહે તો તેમના પર કેસ કેવી રીતે ચલાવી શકાય તે વાતથી આપણે આંખો બંધ કરી શકતા નથી. આવી સ્થિતિમાં Corona  રોગચાળા દરમ્યાન તેમને જેલમાં રાખવાથી સુનાવણી શરૂ થાય તે પહેલાં તેમનું મૃત્યુ થવાની સંભાવના વધી જશે.

ઉલ્લેખનીય છે કે યુપીમાં Corona  ની બીજી લહેરમાં ભારે તબાહી જોવા મળી છે. રાજ્યમાં હજુ પણ કોરોનાના લગભગ 77,000 જેટલા સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4000 જેટલા નવા કેસ નોંધાયા છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">