AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: હરિયાણા-દિલ્હીની ટીકરી બોર્ડર પર મોડી રાત સુધી ખેડૂતોનો હંગામો, પોલીસ રસ્તો ખોલે તે પહેલા JCB આડે સૂતા ખેડૂતો

શનિવારે ફરીથી વાટાઘાટો થવાની હતી ત્યારે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું હતું ત્યારે પોલીસે રાત્રે બેરીકેટીંગ કેમ હટાવ્યા હતા. વાસ્તવમાં દિલ્હી પોલીસે રાત્રે રસ્તો ખોલતાની સાથે જ આંદોલનકારીઓએ હંગામો મચાવી દીધો હતો

Farmers Protest: હરિયાણા-દિલ્હીની ટીકરી બોર્ડર પર મોડી રાત સુધી ખેડૂતોનો હંગામો, પોલીસ રસ્તો ખોલે તે પહેલા JCB આડે સૂતા ખેડૂતો
ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલનકારીઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:48 AM
Share

Farmers Protest: હરિયાણા (Haryana) ના બહાદુરગઢમાં ટિકરી બોર્ડર (Delhi Tikri border) થી શુક્રવારે રાત્રે જ્યારે પોલીસ (Delhi Police) એક લેન રોડ ખોલવાનું કામ કરી રહી હતી. ત્યારે ત્યાં હાજર ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ પોલીસની કાર્યવાહીનો સંપૂર્ણ વિરોધ કર્યો હતો. પોલીસે છેલ્લું બેરીકેટીંગનું લેયર હટાવતાં ખેડૂતો જેસીબી મશીન આગળ સુઈ ગયા હતા અને લોખંડના બેરીકેટ લગાવીને બે જગ્યાએથી રસ્તો બ્લોક કરી દીધો હતો.

અને અહીંથી જ બેઠક શરૂ કરવામાં આવી હતી અને જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ગમે તે થાય પણ બોર્ડર ખોલવા દેશું નહીં. આંદોલનકારી ખેડૂતોએ કહ્યું કે અત્યાર સુધી તેઓ પાંચ ફૂટનો રસ્તો આપવા તૈયાર હતા, પરંતુ હવે તે પણ આપશે નહીં.

આ પહેલા શુક્રવારે સાંજે દિલ્હી અને હરિયાણા પોલીસ-પ્રશાસન સાથેની બેઠકમાં આંદોલનકારીઓએ ટિકરી બોર્ડરને એક બાજુથી ખોલવા માટે માત્ર પાંચ ફૂટની જગ્યા આપવાની શરત મૂકી હતી. આવી સ્થિતિમાં, આ બેઠક અનિર્ણિત રહી હતી અને શનિવારે ફરીથી વાટાઘાટો થવાની હતી.

ખેડૂતોએ દિલ્હી પોલીસ પર લગાવ્યો વચનનો ભંગનો આરોપ શનિવારે ફરીથી વાટાઘાટો થવાની હતી ત્યારે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું હતું ત્યારે પોલીસે રાત્રે બેરીકેટીંગ કેમ હટાવ્યા હતા. વાસ્તવમાં દિલ્હી પોલીસે રાત્રે રસ્તો ખોલતાની સાથે જ આંદોલનકારીઓએ હંગામો મચાવી દીધો હતો. બેરિકેડ હટાવવા આવેલા જેસીબી સામે ખેડૂતો સુઈ ગયા હતા.

બાદમાં બે જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તે જ સમયે, ખેડૂતોનું કહેવું છે કે દિલ્હી પોલીસ તેમના વચનથી ભટકી ગઈ છે. તેણે હવે બોર્ડર ખોલવા નહીં દેવાની જાહેરાત કરી છે. બીજી તરફ હંગામા બાદ દિલ્હી અને હરિયાણાથી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોડી રાત સુધી અહીં તણાવનો માહોલ રહ્યો હતો.

હવે આંદોલન પૂરું થયા બાદ બોર્ડર ખુલશે ભારતીય કિસાન યુનિયનના નેતા બુટા સિંહે કહ્યું કે ખેડૂતો ટિકરી બોર્ડરનો રસ્તો કોઈપણ સંજોગોમાં ખોલવા દેશે નહીં. હવે જ્યારે આંદોલન સમાપ્ત થશે ત્યારે જ તમામ બોર્ડર ખુલશે. ગમે તે થાય, રસ્તો ખોલવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે દિલ્હી અને હરિયાણા પોલીસ સાથેની બેઠકમાં અમે પાંચ ફૂટ પહોળો રસ્તો આપવા માટે સહમત થયા હતા. શનિવારે સવારે 10 વાગ્યે રસ્તો ખુલ્લો કરવાનો હતો, પરંતુ રાત્રે જ પોલીસે બેરીકેટ હટાવીને વચનનો ભંગ કર્યો છે.

આ પણ વાંચો: By-Elections latest Update: 13 રાજ્યમાં 3 લોકસભા અને 30 વિધાનસભા સીટ પર મતદાન શરૂ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આ પણ વાંચો: Tripura Violence: મંદિરમાં તોડફોડ અને ABVP નેતા પર હુમલો, લક્ષ્મીપુર અને કૈલાશહરમાં ધારા 144 લાગુ

g clip-path="url(#clip0_868_265)">