નર્મદા: ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ, વડાપ્રધાનની મુલાકાતને લઇ લેવાયો નિર્ણય
પાછલા 7 માસથી મહામારીને પગલે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. જોકે 30 અને 31મી ઓક્ટોબરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સમગ્ર પરિસરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું […]
પાછલા 7 માસથી મહામારીને પગલે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું હતું. જોકે 30 અને 31મી ઓક્ટોબરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમને પગલે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ કરવામાં આવ્યું છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ સમગ્ર પરિસરને સેનિટાઇઝ પણ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, મહામારી વચ્ચે પીએમ મોદીના કાર્યક્રમ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ક્લિન ઝોન જાહેર કરીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. જોકે પીએમની મુલાકાત બાદ 3 નવેમ્બરથી ફરી એકવાર પ્રવાસીઓ માટે SOU ખુલ્લુ મુકાશે.
આ પણ વાંચો: હરિયાણામાં ધોળે દિવસે યુવતીની કરાઈ હત્યા, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો