PNB કૌભાંડ: મેહુલ ચોકસીને ભારત પરત લાવવાની પ્રક્રિયા ચાલુ
હીરાના વેપારી મેહુલ ચોકસીની વિરૂધ્ધ એન્ટિગુઆમાં પ્રત્યાપર્ણની પ્રક્રિયા ચાલુ છે. ED અને CBI જેવી ભારતીય તપાસ એજન્સીઓએ તે દેશના અધિકારીઓને દસ્તાવેજ મોકલ્યા છે. જેથી મેહુલ ચોકસીને ભારત પાછો લાવી શકાય. મેહુલ ચોકસીએ નિરવ મોદીની અને અન્ય લોકો સાથે મળીને 2 અરબ ડૉલર(13 હજાર કરોડ રૂપિયા)નાPNB કૌભાંડમાં આરોપી છે. નિરવ મોદીની લંડન પોલીસે ધરપકડ કરી છે. […]
હીરાના વેપારી મેહુલ ચોકસીની વિરૂધ્ધ એન્ટિગુઆમાં પ્રત્યાપર્ણની પ્રક્રિયા ચાલુ છે. ED અને CBI જેવી ભારતીય તપાસ એજન્સીઓએ તે દેશના અધિકારીઓને દસ્તાવેજ મોકલ્યા છે. જેથી મેહુલ ચોકસીને ભારત પાછો લાવી શકાય.
મેહુલ ચોકસીએ નિરવ મોદીની અને અન્ય લોકો સાથે મળીને 2 અરબ ડૉલર(13 હજાર કરોડ રૂપિયા)નાPNB કૌભાંડમાં આરોપી છે. નિરવ મોદીની લંડન પોલીસે ધરપકડ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે મેહુલ ચોકસીની વિરૂધ્ધ પ્રત્યાપર્ણની પ્રક્રિયા ચાલુ છે અને અમે એન્ટિગુઆ અને બારબુડાના અધિકારીઓ પાસે હકારાત્મક પ્રતિક્રિયાની આશા રાખીએ છીએ. કાયદાકીય કાર્યવાહી ચાલુ છે અને તપાસ એજન્સીઓ તે દેશના અધિકારીઓથી આગળની સુચના મળવાની રાહ જોવે છે.
PNB કૌભાંડમાં આરોપી નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરીને તેને વેસ્ટમિન્સટર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેમની જામીન અરજી નામજુંર થઈ હતી. કોર્ટે નિરવ મોદીને 29 માર્ચ સુધી જેલમાં મોકલ્યા છે. આગળની સુનાવણી 29 માર્ચે કરવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]