AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવસ દરમિયાન સસ્તી અને રાત્રે મોંઘી થશે વીજળી, સરકાર લેવા જઈ રહી છે આ પગલું, જાણો શું છે હેતુ

ઉર્જા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં આવનારા દિવસોમાં વીજળીના નવા નિયમો હેઠળ દિવસ દરમિયાન વીજળીના દરમાં 20% સુધીનો ઘટાડો અને રાત્રિના પીક અવર્સ દરમિયાન 20% સુધીનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવશે.

દિવસ દરમિયાન સસ્તી અને રાત્રે મોંઘી થશે વીજળી, સરકાર લેવા જઈ રહી છે આ પગલું, જાણો શું છે હેતુ
Power Tariff Electricity Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 4:40 PM
Share

કેન્દ્ર સરકાર વીજળીના દરમાં ફેરફારને લઈને નવા નિયમો બનાવવા જઈ રહી છે. ઉર્જા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં આવનારા દિવસોમાં વીજળીના નવા નિયમો હેઠળ દિવસ દરમિયાન વીજળીના દરમાં 20% સુધીનો ઘટાડો અને રાત્રિના પીક અવર્સ દરમિયાન 20% સુધીનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ પગલાનો હેતુ રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચો: Breaking News : ભરૂચમાં ઝનોર નજીક જવેલર્સને લૂંટી લેવાયો, બંદુકની અણીએ 200 તોલા સોનાની લૂંટથી ભરૂચ પોલીસ હલી ઉઠી, જુઓ Video

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સિસ્ટમની મદદથી, જ્યારે પાવર વપરાશ સૌથી વધુ હોય ત્યારે ગ્રીડ પરની માગમાં ઘટાડો થવાની અપેક્ષા છે, ખાસ કરીને જ્યારે ઘણા ભારતીય પરિવારો કામ કર્યા પછી ઉંઘવાના સમયે એર કંડિશનરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.

આ નિયમ એપ્રિલ 2024 થી વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકો માટે અને એક વર્ષ પછી કૃષિ ક્ષેત્ર સિવાયના મોટાભાગના અન્ય ગ્રાહકો માટે લાગુ થશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સૌર ઉર્જા સસ્તી હોવાથી, વીજળીના દિવસના વપરાશ દરમિયાન ટેરિફ ઓછો હશે, તેથી ઉપભોક્તાને તેનો લાભ મળશે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “થર્મલ અને હાઇડ્રો પાવર તેમજ ગેસ આધારિત ક્ષમતાનો ઉપયોગ સાંજના સમયે કે રાત્રિ દરમિયાન (જ્યારે દિવસનો પ્રકાશ ન હોય ત્યારે) તેમની કિંમત સૌર ઉર્જા કરતા વધારે છે તે ટેરિફમાં પ્રતિબિંબિત થશે. આ પગલાથી ભારતને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી તેની ઊર્જા ક્ષમતાના 65% અને 2070 સુધીમાં ચોખ્ખું શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવાના લક્ષ્ય તરફ કામ કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે 9.5 ટકા વધીને 1,503.65 અબજ યુનિટ (BU) થયો છે. આનું મુખ્ય કારણ આર્થિક ગતિવિધિઓમાં વધારા વચ્ચે વીજળીની માંગમાં વધારો છે. સરકારી આંકડા પરથી આ માહિતી મળી છે. અગાઉના નાણાકીય વર્ષ 2021-22માં વીજળીનો વપરાશ 1,374.02 અબજ યુનિટ હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">