EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની લગભગ 3 કલાક પૂછપરછ કરી, 25 જુલાઈએ ફરીથી ઓફિસ બોલાવવામાં આવ્યા

સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછ સવારે 12.20 વાગ્યાની આસપાસ શરૂ થયેલી અને બપોરે 3 વાગ્યે પૂરી થઈ હતી. આ પછી સોનિયા ગાંધી ED ઓફિસમાંથી નીકળી ગયા.

EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની લગભગ 3 કલાક પૂછપરછ કરી, 25 જુલાઈએ ફરીથી ઓફિસ બોલાવવામાં આવ્યા
Sonia GandhiImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 3:46 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) આજે નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછ કરી હતી. સવારે 12.20 વાગ્યાની આસપાસ શરૂ થયેલી આ પૂછપરછ બપોરે 3 વાગ્યે પૂરી થઈ હતી. આ પછી સોનિયા ગાંધી ED ઓફિસમાંથી નીકળી ગયા. તપાસ એજન્સી ED દ્વારા કરવામાં આવેલી આ તપાસના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં એકઠા થયા હતા. કોંગ્રેસના સાંસદો પણ સંસદ ભવનથી બસ દ્વારા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોના પ્રદર્શનને જોતા પોલીસે પાર્ટી હેડક્વાર્ટરની બહાર બેરિકેડ લગાવી દીધા હતા.

સોનિયા ગાંધીની EDની પૂછપરછ સાથે સંકળાયેલા સમાચારોના અપડેટ્સ

1. સોનિયા ગાંધીની EDની પૂછપરછ પૂરી થઈ.

2. સોનિયા ગાંધીએ આ દરમિયાન EDને કહ્યું છે કે મોતીલાલ વોરા એજેએલનું કામ જોતા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

3. દિલ્હીમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને વિખેરવા પોલીસ દ્વારા વોટર કેનન છોડવામાં આવી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીની દવાઓને લઈ EDની ઓફિસમાં હાજર છે.

4. કોંગ્રેસ ગુરૂવારે દેશના વિવિધ ભાગોમાં પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ, અશોક ગેહલોત, અજય માકન સહિત ઘણા મોટા નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

5. સોનિયા ગાંધીના સમર્થનમાં સાંસદોએ પણ સંસદમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે EDનો દુરુપયોગ બંધ થવો જોઈએ.

6. સોનિયા ગાંધીના સમર્થનમાં ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુરમાં કાર્યકરોએ પણ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. આ સાથે રાજસ્થાનના જયપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

7. ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ દિલ્હી સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ નેતા સચિન પાયલટની પોલીસે અટકાયત કરી લીધી છે. ગેહલોતે કહ્યું છે કે દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ધરણા રોકવામાં આવી રહ્યા છે. સાથે જ પાયલટે કહ્યું છે કે તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

8 જૂન બાદ 23 જૂને સમન્સ જાહેર કરવામાં આવ્યું

કોંગ્રેસ અધ્યક્ષને ED દ્વારા 8 જૂનના રોજ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે તેમને ફરીથી 23 જૂન માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ પાંચ દિવસ સુધી ચાલેલા કેટલાક સત્રોમાં 50 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. આ તપાસ નેશનલ હેરાલ્ડ અખબારની માલિકી ધરાવતી કોંગ્રેસ દ્વારા પ્રમોટેડ યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓને લગતી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">