EDની પાસે નહતો કોઈ સવાલ, સોનિયા ગાંધીએ પુછપરછ ખત્મ કરવા માટે નથી કર્યુ કોઈ નિવેદન, જયરામ રમેશે કર્યો દાવો
નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે EDની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગભગ ત્રણ કલાક સુધી સોનિયાની પૂછપરછ કરી. તમને જણાવી દઈએ કે બપોરે લગભગ 12.30 વાગ્યે પૂછપરછ શરૂ થઈ હતી.
કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) મોટો દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે સોનિયા ગાંધીને (Sonia Gandhi) પૂછવા માટે કોઈ સવાલ નથી. તેમણે સમાપ્ત કરવા માટે EDને કોઈ વિનંતી કરી ન હતી. જયરામ રમેશે એક વીડિયો પોસ્ટમાં કહ્યું ‘EDએ કહ્યું કે અમારી પાસે કોઈ સવાલ નથી, તમે જઈ શકો છો, પરંતુ સોનિયાજીએ કહ્યું કે તમારી પાસે જેટલા પ્રશ્નો છે તે પૂછો, હું રાત્રે 8-9 વાગ્યા સુધી રહેવા માટે તૈયાર છું. હું સ્પષ્ટ કરી દઉં કે સોનિયાજીએ તપાસ ખતમ કરવાની કોઈ વિનંતી કરી નથી.
ED ने कहा हमारे पास कोई सवाल नहीं, आप जा सकती हैं, मगर सोनिया जी ने कहा कि आपके जितने सवाल हैं, पूछिए, मैं रात 8-9 बजे तक रुकने को तैयार हूं।
मैं साफ कर दूं कि सोनिया जी ने पूछताछ खत्म करने का कोई निवेदन नहीं किया : श्री @Jairam_Ramesh#सत्य_साहस_सोनिया_गांधी pic.twitter.com/vgb9XaO76C
— Congress (@INCIndia) July 21, 2022
લગભગ 3 કલાક સુધી પૂછપરછ ચાલી
નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે EDની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગભગ ત્રણ કલાક સુધી સોનિયાની પૂછપરછ કરી. તમને જણાવી દઈએ કે બપોરે લગભગ 12.30 વાગ્યે પૂછપરછ શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું અને નેતાઓની ધરપકડ કરી હતી. થોડા દિવસોમાં કદાચ સોમવારે, તેમને પૂછપરછના આગામી રાઉન્ડ માટે બોલાવવામાં આવી શકે છે.
સોનિયા ગાંધી ક્યારેય ડરવા ના નથીઃ ગેહલોત
તે જ સમયે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે સોનિયા ગાંધી ક્યારેય ડરવાના નથી, તેઓ હિંમતવાળા અને સાહસિક નેતા છે. ભાજપ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સરકાર સતત એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ઈડી હોય, સીબીઆઈ હોય, આઈટી હોય. એક પછી એક ભાજપ સરકારે સરકાર બદલવાની હદ વટાવી દીધી છે.
સોનિયા ગાંધી 70 વર્ષથી વધુ ઉંમરના છે. ED તેમના ઘરે જઈને પૂછપરછ કરે તો શું થાત. તે હિંમતવાન છે. રાજસ્થાનના સીએમએ કહ્યું કે બંધારણનો ભંગ કરવામાં આવી રહ્યો છે. એટલે જ કહેવાય છે કે લોકશાહી ખતરામાં છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી આ પહેલા 8 જૂન અને 23 જૂનના રોજ ED સમક્ષ હાજર થવાના હતા, પરંતુ કોરોનાથી સંક્રમિત હોવાના કારણે તેઓ હાજર થઈ શક્યા ન હતા.