શરાબ કૌંભાડમાં ED એ મનિષ સિસોદિયાના નજીક ગણાતા અમિત અરોરાની કરી ધરપકડ

અમિત અરોરા દારૂના એ જ વેપારી છે, જે ભાજપ દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં પણ જોવા મળ્યાં હતા. અમિત અરોરાની સીબીઆઈએ પણ પૂછપરછ કરી હતી. ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ અમિત અરોરાને ત્યાં દરોડા પાડ્યા હતા.

શરાબ કૌંભાડમાં ED એ મનિષ સિસોદિયાના નજીક ગણાતા અમિત અરોરાની કરી ધરપકડ
Amit Arora arrested in liquor scam (symbolic image)Image Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 11:05 AM

દિલ્લી એક્સાઇઝ કૌભાંડ કેસમાં EDએ અમિત અરોરાની ધરપકડ કરી છે. અમિત અરોરા ગુરુગ્રામના બિઝનેસમેન છે. અમિત અરોરા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નજીકના માનવામાં આવી રહ્યા છે. EDએ આરોપ લગાવ્યો છે કે અમિત અરોરા, દિનેશ અરોરા અને અર્જુન પાંડે, દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના નજીકના સહયોગી હોવાનુ માનવામાં આવે છે. આ લોકોએ દારૂના લાયસન્સ ધારકો પાસેથી મળેલા રૂપિયાનો વહીવટ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. શરાબના વેપારી સમીર મહેન્દ્રુની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલ પૂછપરછ બાદ 27 સપ્ટેમ્બરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અમિત અરોરા દારૂના એ જ વેપારી છે, જે ભાજપ દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં પણ જોવા મળ્યાં હતા. અમિત અરોરાની સીબીઆઈએ પણ પૂછપરછ કરી હતી. ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ અમિત અરોરાને ત્યાં દરોડા પાડ્યા હતા. અમિત અરોરા બડી રિટેલ અને અન્ય 13 કંપનીઓમાં ડિરેક્ટર છે. અગાઉ તેઓ 37 કંપનીઓના ડિરેક્ટર પદ ધરાવતા હતા.

એક્સાઇઝ પોલિસીમાં ફેરફારમાં અમિતની ભૂમિકા ?

એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર માટે અમિત અરોરાની વિવિધ કંપનીઓની મહત્વની ભૂમિકા હોવાની શંકા છે. આ કંપનીઓના બેંક ખાતામાંથી હોટેલમાં રૂમ અને ફ્લાઈટની ટિકિટ બુક કરવામાં આવતી હતી. હવે તપાસનો વિષય એ છે કે શું અમિત અરોરાની ઉદારતાથી અમલદારો, રાજકારણીઓ સહિત સરકારી કર્મચારીઓને ફાયદો થયો છે કે નહી? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સીબીઆઈને શંકા છે કે નવી દારૂની નીતિ ઘડવામાં અરોરાની સાથે અન્ય લોકોનો પણ હાથ હતો. જેમને શરાબની પોલીસીના ફેરફારનો સીધો ફાયદો થયો હતો. બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ દિલ્લીમાં બે ઝોનમાં દારૂનો વ્યવસાય કરે છે. જેમા પહેલો એરપોર્ટ ઝોન છે અને બીજો ઝોન-30 વિસ્તારનો છે.

બે અધિકારીઓના સંપર્કમાં

કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા એ પણ તપાસ ચલાવવામાં આવી રહી છે કે અમિત અરોરાની કંપનીએ, એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લીધી હતી કે નહીં? કોના કહેવા પર, નવી દારૂ નીતિ હેઠળ તમામ ગેરરીતિઓ આચરવામાં આવી હતી અને 30 કરોડની રકમ જપ્ત કરવાને બદલે રૂપિયા પરત કેમ કરવામાં આવ્યા હતા. અમિત અરોરા ઉપર એવો પણ આક્ષેપ છે કે તે દિલ્લીના બે અધિકારીઓનાના સંપર્કમાં હતા, જેઓ દારૂ નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ હતા.

ચાર્જશીટમાં નથી સિસોદિયાનું નામ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સીબીઆઈ બાદ EDએ પણ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ સીબીઆઈની જેમ ઈડીની ચાર્જશીટમાં પણ મનીષ સિસોદિયાનું નામ નથી. આમ આદમી પાર્ટી તેને ક્લિનચીટ તરીકે લઈ રહી છે. મનીષ સિસોદિયાને ખોટી રીતે બદનામ કરવા બદલ ભાજપના નેતાઓ માફી માંગે તેવી માંગ કરી હતી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">