AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake : જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં આવ્યો હતો. તેની તીવ્રતા 3.5 હતી.

Earthquake : જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ
Earthquake tremors (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:42 AM
Share

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir ) કટરામાં (Katra) ભૂકંપ (earthquake) આવ્યો હતો. જો કે, ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Center for Seismology) આ માહિતી આપી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ આજે સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં નોંધાયુ છે. તેની તીવ્રતા 3.5 હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલ બુધવારે સવારે 5.45 કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેની તીવ્રતા પણ ઘણી ઓછી હતી. રિક્ટર સ્કેલ મુજબ તેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.

અગાઉ 5 ફેબ્રુઆરીએ, જમ્મુ અને કાશ્મીરમાં સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા આ બે ભૂકંપ કરતા ઘણી વધારે હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભૂકંપની સ્થિતિનો તાગ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ ફોન પર વાત કરી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 હતી અને આ આંચકા સવારે 9.45 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા.

લોકો ઘરની બહાર નીકળી ગયા

5 ફેબ્રુઆરીએ આવેલા આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાનની સરહદ પાસે હતું, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબમાં ઘણી જગ્યાએ લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા

આ પણ વાંચોઃ Earthquake :કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">