AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake : જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં આવ્યો હતો. તેની તીવ્રતા 3.5 હતી.

Earthquake : જમ્મુ-કાશ્મીરના કટરામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ
Earthquake tremors (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:42 AM
Share

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir ) કટરામાં (Katra) ભૂકંપ (earthquake) આવ્યો હતો. જો કે, ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Center for Seismology) આ માહિતી આપી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ આજે સવારે 3.02 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ-કાશ્મીરના કટરાથી 84 કિમી પૂર્વમાં નોંધાયુ છે. તેની તીવ્રતા 3.5 હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલ બુધવારે સવારે 5.45 કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેની તીવ્રતા પણ ઘણી ઓછી હતી. રિક્ટર સ્કેલ મુજબ તેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.

અગાઉ 5 ફેબ્રુઆરીએ, જમ્મુ અને કાશ્મીરમાં સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા આ બે ભૂકંપ કરતા ઘણી વધારે હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભૂકંપની સ્થિતિનો તાગ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે પણ ફોન પર વાત કરી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 હતી અને આ આંચકા સવારે 9.45 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા.

લોકો ઘરની બહાર નીકળી ગયા

5 ફેબ્રુઆરીએ આવેલા આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તજાકિસ્તાનની સરહદ પાસે હતું, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબમાં ઘણી જગ્યાએ લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા

આ પણ વાંચોઃ Earthquake :કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">