AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 5.43 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામથી 15 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Earthquake : જમ્મુ-કાશ્મીરમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 7:47 AM
Share

Earthquake:  જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) આજે સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. જો કે હજુ સુધી જાનમાલ નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના (National Center for Seismology) અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતુ કે, બુધવારે સવારે લગભગ 5.43 વાગ્યે જમ્મુ અને કાશ્મીરના પહેલગામથી 15 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 10 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી હતી. અધિકારીઓએ કહ્યુ હતુ કે, ભૂકંપનું કેન્દ્ર ગિલગિટ-બાલ્ટિસ્તાનના કેલમાં 29 કિલોમીટરની ઊંડાઈએ હતુ. આ પહેલા પણ એટલે કે 5 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર સહિત ઘાટીના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી.

આ કારણે આવે છે ભુકંપ

પૃથ્વી ચાર સ્તરોથી બનેલી છે. આંતરિક કોર, બાહ્ય કોર, મેન્ટલ અને ક્રસ્ટ કોર.ઉપલુ આવરણ કોર લિથોસ્ફિયર તરીકે ઓળખાય છે. આ 50 કિમી જાડા સ્તરને કેટલાક વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. આ ટેકટોનિક પ્લેટો તેમની જગ્યાએ ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ ખૂબ જ હલનચલન કરવા લાગે છે, ત્યારે તેને ભૂકંપ કહેવામાં આવે છે. આ પ્લેટો તેમની જગ્યાએથી આડી અને ઊભી બંને રીતે ખસી શકે છે.

3 રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય

ભૂકંપને સિસ્મોગ્રાફ વડે માપવામાં આવે છે. ધરતીકંપની ક્ષણની તીવ્રતા પરંપરાગત રીતે માપવામાં આવે છે અથવા સંબંધિત અને અપ્રચલિત રિક્ટર મેગ્નિટ્યુડ લેવામાં આવે છે. 3 રિક્ટરની તીવ્રતા સાથેનો ભૂકંપ સામાન્ય છે, જ્યારે 7 રિક્ટરની તીવ્રતા ધરાવતો ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડે છે. ભૂકંપ ઈમારતો, રસ્તાઓ, ડેમ અને પુલ વગેરેને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : Bihar: નીતિશ સરકાર વિરૂદ્ધ પટનાના રસ્તાઓ પર LJP-Rનો હોબાળો, પોલીસે કર્યો લાઠી ચાર્જ, ચિરાગ પાસવાનની કરી અટકાયત

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">