રામ મંદિર ભૂમિ પૂજન,માત્ર 3 કલાક અયોધ્યામાં રોકાશે PM MODI,વાંચો મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ
અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે […]
અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરનું ભૂમિ પૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે અને રામમંદિરની આધારશિલા રાખશે. આ રહેલા સોમવારે સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યા પહોંચીને વડાપ્રધાનનાં કાર્યક્રમની તૈયારીની માહિતિ પણ મેળવી હતી. આવો તમને બતાવીએ કે વડાપ્રધાનનો કાલનો પ્રોગ્રામ શું હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં આશરે 3 કલાક સુધી રોકાશે જે દરમિયાન PM MODI મંદિરની આધાર શિલા રાખશે તેમજ અન્ય કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
કઈંક આવો હશે વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
- 5 ઓગસ્ટે સવારે 9.35 વાગ્યે દિલ્હીથી વડાપ્રધાનનું વિશેષ વિમાન લખનઉ માટે રવાના થશે
- આશરે એક કલાક પછી આ વિમાન 10.35 વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડ કરશે
- એનાથી 10 મિનિટ પછી 10.45 વાગ્યે વડાપ્રધાન મોદી હેલીકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે
- વડાપ્રધાન મોદી આશરે 11.30 વાગ્યે અયોધ્યાનાં સાકેત કોલેજ પહોચશે, અહીંજ તેમના માટે હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે
- આ પછી પીએમ મોદી 11.40 વાગ્યે હનુમાન ગઢી પહોચશે, અહીં તેઓ પૂજા કરશે અને હનુમાનજીનાં દર્શન પણ કરશે
- આ પછી આશરે 12 વાગ્યા સુધી પીએમ મોદીનાં રામ જન્મભૂમિનાં પરિસરમાં પહોચી જશે
- અહીંયા રામલલ્લા પરિસરમાં 12.15 વાગ્યે પીએમ મોદી પારિજાતનાં છોડને રોપશે
- છોડને રોપ્યા બાદ પીએમ મોદી 12.30 વાગ્યે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ કરશે
- એક્ઝેટ 12.40 વાગ્યે પીએમ મોદીનાં વરદહસ્તે રામમંદિરની આધારશિલા મુકવામાં આવશે
- એ પછી 1.10 વાગ્યે પીએમ મોદી નૃત્યગોપાલદાસ વેદાંતીજી સહિત રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કમિટિનાં લોકો સાથે મુલાકાત કરશે
- આ મુલાકાત પછી આશરે 2.05 વાગ્યે પીએમ મોદી સાકેત કોલેજનાં હેલીપેડ માટે રવાના થશે
- આના પછી આશરે 2.20 વાગ્યે પીએમ મોદીનું હેલીકોપ્ટર લખનઉ માટે રવાના થશે