AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું ‘મોટું નિવેદન’! “E20 પેટ્રોલ હજુ માત્ર એક પ્રયોગ છે, અસલી પરિણામ તો…”

દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના (E20) પ્રોગ્રામને લઈને વાહન ચાલકો અને નિષ્ણાતો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. એન્જિન અને માઇલેજ પર પડતી અસરોના વિરોધ વચ્ચે હવે આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે.

Breaking News: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું 'મોટું નિવેદન'! E20 પેટ્રોલ હજુ માત્ર એક પ્રયોગ છે, અસલી પરિણામ તો...
| Updated on: Jun 30, 2026 | 5:52 PM
Share

દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ (E20) ભેળવવાના પ્રોગ્રામને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે. સરકારે જણાવ્યું કે, 20% ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અત્યારે એક પ્રયોગ (Experiment) તરીકે ચાલી રહ્યો છે અને તેના અસલી પરિણામો આગામી વર્ષ સુધીમાં સામે આવશે.

સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે E20 પેટ્રોલના એન્જિન, માઇલેજ અને પર્યાવરણ પર પડતી અસરોને લઈને વિરોધ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સતત આ પ્રોગ્રામને એનર્જી સિક્યોરિટી (ઊર્જા સુરક્ષા), ખેડૂતોની આવક વધારવા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાવી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં શું બોલી સરકાર?

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જણાવ્યું કે, સરકાર 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ પર સતત કામ કરી રહી છે. તેમણે અદાલતને કહ્યું, “20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ એવી યોજના છે, જેના પર સરકાર પ્રયોગ કરી રહી છે. આગામી વર્ષ સુધીમાં તેના પરિણામો આપણી સામે હશે.”

કયા મામલામાં સુનાવણી થઈ?

આ ટિપ્પણી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આવી છે. BPCL એ કર્ણાટક હાઈકોર્ટના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે કે, જે 2025-26 ઇથેનોલ સપ્લાય વર્ષ માટે ઇથેનોલની ફાળવણી સાથે જોડાયેલો છે.

E20 પેટ્રોલને લઈને કેમ થઈ રહી છે ‘ચર્ચા’?

ભારત સરકારનો લક્ષ્યાંક દેશભરમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવીને આયાત કરાતા ક્રૂડ ઓઈલ (કાચા તેલ) પરની નિર્ભરતા ઘટાડવાનો છે. સરકારનું કહેવું છે કે, આનાથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો થશે અને શેરડી તેમજ અન્ય પાક ઉગાડતા ખેડૂતોને વધારાનું બજાર મળશે. જો કે, ઘણા નિષ્ણાતોએ જૂના વાહનોની એન્જિન ક્ષમતા, માઇલેજ અને મેન્ટેનન્સ (જાળવણી) ના ખર્ચ પર પડનારી સંભવિત અસરો અંગે સવાલો પણ ઉઠાવ્યા છે.

આગામી વર્ષે પરિણામો મહત્વના રહેશે

સુપ્રીમ કોર્ટમાં સરકારના નિવેદન પરથી સંકેત મળે છે કે, E20 બ્લેન્ડિંગ કાર્યક્રમનું વ્યાપક મૂલ્યાંકન (Comprehensive Evaluation) આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ત્યારબાદ જ એ સ્પષ્ટ થશે કે, 20% ઇથેનોલ બ્લેન્ડિંગની વાહનો, ફ્યુઅલ કેપેસિટી (બળતણ ક્ષમતા), પર્યાવરણ અને અર્થતંત્ર પર વાસ્તવિક અસર શું રહી.

ડિગ્રી વગર જબરદસ્ત કમાણી! બસ આ એક કામ કરો અને મહિનાના કમાઓ ‘₹70,000’, જાણીતા બિઝનેસમેને શેર કર્યો ‘અનોખો આઈડિયા’

Follow Us
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
g clip-path="url(#clip0_868_265)">