જમ્મુના રામબનમાં ઉત્તરાખંડ જેવી સ્થિતિ ! જમીન ધસી પડવાને કારણે અનેક મકાનોમાં પડી તિરાડ, શહેરો વચ્ચેના સંપર્ક તૂટ્યા
જમ્મુ-કાશ્મીરના ગુલ અને રામબન રોડ પર લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં જમીન ધસી જવાની ઘટના સામે આવી છે. જમીન ધસી જવાને કારણે અહીંનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને લગભગ 60 હજાર લોકોનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે
જમ્મુના રામબનમાં જમીન ધસી પડવાને કારણે અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ, રોડ કનેક્ટિવિટી તૂટી ગઈ, અનેક પરિવારો તે વિસ્તાર છોડી ભાગી રહ્યા છે. ઉત્તરાખંડમાં જમીન ધસી પડવાની અગાઉ ઘટના સામે આવી હતી જે બાદ હવે આવી ઘટના જમ્મુમાં જોવા મળી છે. જેને લઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
ઉત્તરાખંડ જેવી સ્થિતિ જમ્મુમાં
ઉત્તરાખંડના જોશીમઠની જેમ હવે જમ્મુ-કાશ્મીરના રામબનથી પણ જમીન ધસી જવાની ઘટના સામે આવી છે. અહીં રામબન અને ગુલમાર્ગ પર ઘણી જગ્યાએ જમીન ધસી જવાને કારણે બંને શહેરો વચ્ચેનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જમીન ધસી જવાને કારણે રામબનના પેરનોટ ગામમાં રહેતા લોકોના ઘરોમાં પણ તિરાડો પડી ગઈ છે. આવી સ્થિતિમાં વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી લોકોની મદદ કરીને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.
વીજ પુરવઠો બંધ
માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના ગુલ અને રામબન રોડ પર લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં જમીન ધસી જવાની ઘટના સામે આવી છે. જમીન ધસી જવાને કારણે અહીંનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને લગભગ 60 હજાર લોકોનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે કારણ કે જમીન ધસી પડવાને કારણે વીજ જોડાણ પણ પ્રભાવિત થયું છે.
જમીન ધસી જવાની અસર દેખાઈ ઘરો પર
એવું કહેવામાં આવી રહ્યું છે કે પરનોટ વિસ્તારમાં લગભગ 24 આવા ઘર છે, જેમાં જમીન ધસી જવાની અસર દેખાઈ રહી છે. આ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આ મકાનોમાં રહેતા લોકોને બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. હાલમાં ગામમાં દરેક લોકો ડરી ગયા છે. આવી સ્થિતિમાં, ડેપ્યુટી કમિશનર બસીર ઉલ હક ચૌધરી અસરગ્રસ્ત લોકોના ઘરે મદદ માટે પહોંચ્યા છે. બસીર ઉલ હકે સ્થાનિક રહેવાસીઓને વહીવટીતંત્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
આ પણ વાંચો : US Accident : અમેરિકામાં ગમખ્વાર અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાનું મોત, જુઓ Video
રામબન-ગુલમર્ગ રોડ સંપૂર્ણપણે બંધ
ઘણી જગ્યાએ રોડ ઠલવાવાને કારણે પ્રશાસને રામબન-ગુલ રોડને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. હાલમાં અહીંથી કોઈપણ પ્રકારના વાહનોને પ્રવેશ આપવામાં આવતો નથી. તમને જણાવી દઈએ કે જે ઘરોમાં તિરાડો પડી છે ત્યાંના માળે પણ ખરાબ રીતે તિરાડો પડી ગઈ છે. આથી આ મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. હાલમાં, સ્થાનિક લોકોની મદદ માટે ગામમાં 24 કલાક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જ્યારે વહીવટીતંત્રે પણ રસ્તો બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. રસ્તો બંધ થવાને કારણે અનેક વાહનો જામમાં ફસાઈ ગયા છે. વહીવટીતંત્રે તાત્કાલિક આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાના આદેશો આપ્યા છે.