AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં લગભગ 60 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા, તેમાંથી 1 લાખે માત્ર 2 બાળકોના મૃત્યુ થયા

દિલ્હી AIIMS ના સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો.સંજય રાય કહે છે કે અત્યાર સુધી આવો કોઇ અભ્યાસ સામે આવ્યો નથી, જે આ સાબિત કરે કે બાળકો માટે રસી ખૂબ અસરકારક રહેશે.

દેશમાં લગભગ 60 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા, તેમાંથી 1 લાખે માત્ર 2 બાળકોના મૃત્યુ થયા
Dr.Sanjay Rai said that about 60 per cent children in the country became infected with corona, only 2 children died per 1 lakh
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:45 PM
Share

DELHI : એક તરફ, જ્યારે સમગ્ર દેશની નજર બાળકો માટે કોરોના રસી પર છે, બીજી તરફ, દિલ્હી AIIMS ના સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો.સંજય રાય કહે છે કે અત્યાર સુધી આવો કોઇ અભ્યાસ સામે આવ્યો નથી, જે આ સાબિત કરે કે બાળકો માટે રસી ખૂબ અસરકારક રહેશે. તેમણે કહ્યું કે ICMRનો સિરોસર્વે જણાવે છે કે લગભગ 60 ટકા બાળકો કોવિડથી સંક્રમિત હતા. તે જ સમયે બાળકોમાં મૃત્યુ દર 1 લાખમાં 2 છે, જે ખૂબ ઓછો છે. બાળકો માટે આ રસી ખૂબ અસરકારક રહેશે તે સાબિત કરવા માટે હજુ સુધી કોઈ રિપોર્ટ નથી.

અગાઉ કહેવામાં આવી રહ્યું હતું કે રસીના ઉત્પાદક ભારત બાયોટેક (Bharat Biotech)ટૂંક સમયમાં બાળકો માટે પણ કોરોનાની રસી તૈયાર કરી શકે છે. હૈદરાબાદ સ્થિત કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિશ્નાએ કહ્યું કે ભારત બાયોટેકે 2 થી 18 વર્ષની વયના બાળકો પર રસીના ટ્રાયલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) ને ડેટા મોકલ્યો છે.

અત્યાર સુધીમાં 6 વેક્સીનને મંજુરી આપવામાં આવી છે હાલમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનનો ભાગ નથી. અત્યાર સુધી DCGI એ ઇમરજન્સી ઉપયોગ માટે છ વેક્સીનને મંજૂરી આપી છે. આમાંથી એક રસી ZyCoV-D છે, જે 18 વર્ષથી નીચેના વય જૂથમાં ઉપયોગ માટે માન્ય હોવાનું માનવામાં આવે છે. જો મંજૂરી આપવામાં આવે તો, આ રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવશે.

દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન વિશે વાત કરતી વખતે, અભિયાનને વેગ આપતી વખતે, કેન્દ્રએ રાજ્યોને કહ્યું કે તેઓ આગામી કેટલાક દિવસોમાં 100 કરોડ ડોઝનું લક્ષ્ય પૂર્ણ કરશે. જેના માટે સરકારે રાજ્યોને તેમના કોવિડ રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા કહ્યું છે. શનિવાર સુધી, દેશભરમાં 94 કરોડ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. હકીકતમાં, છેલ્લા ત્રણ અઠવાડિયાથી સરેરાશ સાપ્તાહિક રસીકરણ સતત ઘટી રહ્યું છે. 2-8 ઓક્ટોબર વચ્ચે દૈનિક રસીકરણની રેન્જ 25.5 લાખથી 78.9 લાખ ડોઝ રહી છે, જે એક દિવસમાં સરેરાશ 59.8 લાખ ડોઝ છે.

આ પણ વાંચો : કોરોનાથી સાજા થયેલા લોકો થઇ જાઓ સાવધાન, ડેન્ગ્યુ અને ફ્લુના કારણે વધી ગયું છે જોખમ

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે નવજાત બાળકો પર અત્યંત જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">