દેશમાં લગભગ 60 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા, તેમાંથી 1 લાખે માત્ર 2 બાળકોના મૃત્યુ થયા

દિલ્હી AIIMS ના સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો.સંજય રાય કહે છે કે અત્યાર સુધી આવો કોઇ અભ્યાસ સામે આવ્યો નથી, જે આ સાબિત કરે કે બાળકો માટે રસી ખૂબ અસરકારક રહેશે.

દેશમાં લગભગ 60 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા, તેમાંથી 1 લાખે માત્ર 2 બાળકોના મૃત્યુ થયા
Dr.Sanjay Rai said that about 60 per cent children in the country became infected with corona, only 2 children died per 1 lakh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:45 PM

DELHI : એક તરફ, જ્યારે સમગ્ર દેશની નજર બાળકો માટે કોરોના રસી પર છે, બીજી તરફ, દિલ્હી AIIMS ના સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો.સંજય રાય કહે છે કે અત્યાર સુધી આવો કોઇ અભ્યાસ સામે આવ્યો નથી, જે આ સાબિત કરે કે બાળકો માટે રસી ખૂબ અસરકારક રહેશે. તેમણે કહ્યું કે ICMRનો સિરોસર્વે જણાવે છે કે લગભગ 60 ટકા બાળકો કોવિડથી સંક્રમિત હતા. તે જ સમયે બાળકોમાં મૃત્યુ દર 1 લાખમાં 2 છે, જે ખૂબ ઓછો છે. બાળકો માટે આ રસી ખૂબ અસરકારક રહેશે તે સાબિત કરવા માટે હજુ સુધી કોઈ રિપોર્ટ નથી.

અગાઉ કહેવામાં આવી રહ્યું હતું કે રસીના ઉત્પાદક ભારત બાયોટેક (Bharat Biotech)ટૂંક સમયમાં બાળકો માટે પણ કોરોનાની રસી તૈયાર કરી શકે છે. હૈદરાબાદ સ્થિત કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિશ્નાએ કહ્યું કે ભારત બાયોટેકે 2 થી 18 વર્ષની વયના બાળકો પર રસીના ટ્રાયલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) ને ડેટા મોકલ્યો છે.

અત્યાર સુધીમાં 6 વેક્સીનને મંજુરી આપવામાં આવી છે હાલમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનનો ભાગ નથી. અત્યાર સુધી DCGI એ ઇમરજન્સી ઉપયોગ માટે છ વેક્સીનને મંજૂરી આપી છે. આમાંથી એક રસી ZyCoV-D છે, જે 18 વર્ષથી નીચેના વય જૂથમાં ઉપયોગ માટે માન્ય હોવાનું માનવામાં આવે છે. જો મંજૂરી આપવામાં આવે તો, આ રસી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન વિશે વાત કરતી વખતે, અભિયાનને વેગ આપતી વખતે, કેન્દ્રએ રાજ્યોને કહ્યું કે તેઓ આગામી કેટલાક દિવસોમાં 100 કરોડ ડોઝનું લક્ષ્ય પૂર્ણ કરશે. જેના માટે સરકારે રાજ્યોને તેમના કોવિડ રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા કહ્યું છે. શનિવાર સુધી, દેશભરમાં 94 કરોડ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. હકીકતમાં, છેલ્લા ત્રણ અઠવાડિયાથી સરેરાશ સાપ્તાહિક રસીકરણ સતત ઘટી રહ્યું છે. 2-8 ઓક્ટોબર વચ્ચે દૈનિક રસીકરણની રેન્જ 25.5 લાખથી 78.9 લાખ ડોઝ રહી છે, જે એક દિવસમાં સરેરાશ 59.8 લાખ ડોઝ છે.

આ પણ વાંચો : કોરોનાથી સાજા થયેલા લોકો થઇ જાઓ સાવધાન, ડેન્ગ્યુ અને ફ્લુના કારણે વધી ગયું છે જોખમ

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે નવજાત બાળકો પર અત્યંત જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">