Train Accident : પાટા પરથી ઉતરી ગયા 12 ડબ્બા, એસી કોચની બારીઓના કાચ તોડી લોકો બહાર આવી રહ્યા છે
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના અંદાજે 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો.
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. ગોંડા જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુસાફરોમાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
સીએમે ઘટના સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગોંડામાં થયેલી ટ્રેન અકસ્માત અંગે માહિતી મેળવી રહ્યા છે. તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘટના સ્થળે હાજર થવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો પણ આદેશ આપ્યો છે. હાલમાં તો ઘટના સ્થળે ગોંડા જિલ્લા પ્રશાસન અને ગોરખપુર રેલવેના અધિકારીઓ પહોંચી રહ્યા છે.
VIDEO | A few bogies of Dibrugarh Express derailed near UP’s Gonda railway station earlier today. Details awaited. pic.twitter.com/SfJTfc01Wp
— Press Trust of India (@PTI_News) July 18, 2024
રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
ટ્રેન અકસ્માતને લઈ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ડિબ્રૂગઢ 9957555960
In regard with the derailment of 15904 Dibrugarh Express in Lucknow division of North Eastern Railway, the helpline numbers are issued: Indian Railways https://t.co/ggCTJKvOAv pic.twitter.com/jjRp1vgIjB
— ANI (@ANI) July 18, 2024
ગંભીર ટ્રેન અકસ્માત
17 જૂનના રોજ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં વહેલી સવારે એક ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. રંગાપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને માલગાડીએ પાછળથી ટક્કર મારતા ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્તા થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે,ટ્રેનની બોગીઓ હવામાં લટકી રહી હતી.
મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ટિકિટની તમારી પાસે રાખો
ટ્રેનમાં મુસાફરી કરવા માટે સૌથી મહત્વની વસ્તુ ટ્રેનની ટિકિટ છે. જો તમે અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય, તો મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી ટિકિટની માહિતી તમારી પાસે રાખો. કારણ કે જો કોઈ કારણોસર ટ્રેન દુર્ઘટના થાય છે તો વળતર માટે આ તમામ દસ્તાવેજોની જરૂર પડશે.જો તમે વળતર માટે અરજી કરવા માંગો છો, તો તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. અહીં સૌથી પહેલા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરની તમામ વિગતો ભરવાની રહેશે. આ સમય દરમિયાન, તમારી પાસે મુસાફરીની ટિકિટ અને દસ્તાવેજો વિશે પણ માહિતી હોવી જોઈએ.