AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાસ જરૂરી: ભૂલથી પણ ના લેશો આ દવા, કોવિડની સારવાર માટે DGHS ની નવી માર્ગદર્શિકા

27 મેના રોજ સંશોધિત દિશા-નિર્દેશોને જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી તે દવાઓને હટાવી દેવામાં આવી જે ડોકટરો એસિમ્પટમેટિક અથવા હળવા લક્ષણોવાળા Covid-19 દર્દીઓ માટે પણ સૂચવે છે.

ખાસ જરૂરી: ભૂલથી પણ ના લેશો આ દવા, કોવિડની સારવાર માટે DGHS ની નવી માર્ગદર્શિકા
File Image (PTI)
| Updated on: Jun 07, 2021 | 12:03 PM
Share

કોરોનાના આ સમયમાં કઈ દવા લેવી અને કઈ ના લેવી તે અંગે પણ મૂંઝવણ થતી રહે છે. આ અંગે ડોકટરોને પણ દિશાનિર્દેશ જાહેર કરીને દવા અને સારવાર અંગે માહિતી આપવામાં આવે છે. 27 મેના રોજ સંશોધિત દિશા-નિર્દેશોને જાહેર કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ આ દિશા-નિર્દેશોમાં શું કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ) એ કોવિડ -19 ની સારવાર અંગેના માર્ગદર્શિકામાં ફેરફાર કર્યા છે. આ અંગે માહિતી આપી હતી. અહેવાલ અનુસાર કેટલીક દવાઓને લીસ્ટમાંથી બહાર કરવામાં આવી છે. જેમાં એસિમ્પટમેટિક અને હળવા કેસો માટે એન્ટિપિયરેટિક (તાવ) અને એન્ટિટ્યુસિવ (શરદી) સિવાય તમામ દવાઓને બહાર કરવામાં આવી છે.

કોરોનાના લક્ષણ નથી તો ના લેશો આ દવા

27 મેના રોજ સંશોધિત દિશા-નિર્દેશોને જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી તે દવાઓને હટાવી દેવામાં આવી જે ડોકટરો એસિમ્પટમેટિક અથવા હળવા લક્ષણોવાળા Covid-19 દર્દીઓ માટે પણ સૂચવે છે. તેમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન, આઇવરમેક્ટિન, ડોક્સીસાયક્લીન, ઝિંક, મલ્ટિવિટામિન વગેરે સામેલ છે. આ ઉપરાંત ડોકટરોને કહેવામાં આવ્યું છે કે જરૂરી ના હોય તો દર્દીને સીટી સ્કેન કરાવવાની સલાહ પણ ન આપવી જોઈએ.

એસિમ્પટમેટિક કોરોનાના કેસો માટે, આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે તેમને કોઈ દવાની જરૂર નથી. જ્યારે પહેલાથી કોરોના સિવાયના અન્ય રોગોથી પીડિત દર્દીઓ માટે દવાઓ ચાલુ રાખવી જોઈએ. આ માર્ગદર્શિકામાં શરીરના હાઇડ્રેશનની સાથે સ્વસ્થ સંતુલિત આહાર પર ભાર મુકવામાં આવ્યો છે.

જાતે જ તપાસો તાવ અને ઓક્સિજન લેવલ

સામાન્ય કેસોમાં તાવ, શ્વાસ ચડી જવો, ઓક્સિજન લેવલ કે કોઈ લક્ષણ પાર જાતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે જો ઉધરસની તકલીફમાં 5 દિવસ માટે દિવસમાં બે વાર 800 એમસીજીની ઉપર બ્યુડેસોનાઇડ લઇ શકે છે. તેમજ કોરોનાના લક્ષણો જોવા મળે છે તો એન્ટિ-પાયરેટીક અને એન્ટિ-ટ્યુસિવ લઈ શકાય છે. આ સિવાય બીજી કોઈ દવાની જરૂર નથી.

આ પણ વાંચો: નુકસાન કે ફાયદાઓ? કોરોનાની બીજી લહેરની કૃષિક્ષેત્રે શું પડશે અસર? જાણો નીતિ આયોગે શું કહ્યું

આ પણ વાંચો: Covaxin કે Covishield, કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી? જાણો સ્ટડીમાં શું આવ્યું બહાર

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">