AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે, રસ્તાઓમાંથી ઓસરી રહ્યા છે પાણી, દિલ્હીવાસીઓ માટે નવું સપ્તાહ રાહત સાથે શરૂ થશે

દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરો ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાયા હતા, લોકોના ઘરોને નુકસાન થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ બની હતી, જ્યાં યમુનાએ ખતરાના નિશાનને વટાવી દીધું હતું. દિલ્હીના પોશ વિસ્તારો પણ પાણીના આક્રમણથી બચી શક્યા નથી.

યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે, રસ્તાઓમાંથી ઓસરી રહ્યા છે પાણી, દિલ્હીવાસીઓ માટે નવું સપ્તાહ રાહત સાથે શરૂ થશે
Delhi Rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 7:09 AM
Share

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. છેલ્લા 10 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરો ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાયા હતા, લોકોના ઘરોને નુકસાન થયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી ખરાબ સ્થિતિ બની હતી, જ્યાં યમુનાએ ખતરાના નિશાનને વટાવી દીધું હતું. દિલ્હીના પોશ વિસ્તારો પણ પાણીના આક્રમણથી બચી શક્યા નથી.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થાય છે 103 પ્રકારના રોગ, રાજીવ દીક્ષિતે જણાવ્યું ભારતના લોકોને કેટલા સમય ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ, જુઓ Video

ઈન્ડિયા ગેટ હોય, લાલ કિલ્લો હોય કે રાજઘાટ, દરેક જગ્યાએ માત્ર પાણી જ દેખાતું હતું. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. લોકોને તેમની ઓફિસે પહોંચવામાં વિલંબ થયો હતો, શાળાઓ બંધ હતી. આ તમામ સમસ્યાઓનો સામનો કર્યા બાદ સોમવારથી શરૂ થનાર નવું સપ્તાહ દિલ્હીવાસીઓ માટે થોડી રાહત લઈને આવશે.

દિલ્હીના ડિવિઝનલ કમિશનરે કહ્યું છે કે યમુનામાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. દિલ્હી અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા નથી. ડિવિઝનલ કમિશનરનું આ નિવેદન દિલ્હીના લોકો માટે મોટી રાહત છે. સીએમ કેજરીવાલે પણ કહ્યું છે કે યમુનાનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. તેમણે કહ્યું કે જો ભારે વરસાદ ન થાય તો પરિસ્થિતિ જલ્દી સુધરી જશે.

યમુનાનું જળસ્તર ઘટી રહ્યું છે

દિલ્હીમાં રાત્રે 9 વાગ્યે યમુનાનું જળસ્તર 205.54 મીટર નોંધાયું હતું, જ્યારે રાત્રે 8 વાગ્યે યમુનાનું જળસ્તર 205.56 મીટર હતું. આ આંકડા દર્શાવે છે કે યમુનાનું જળસ્તર સતત ઘટી રહ્યું છે. જો કે પાણીનું સ્તર ઘટવા છતાં દિલ્હીમાં સોમવાર અને મંગળવારે શાળાઓ બંધ રહેશે. કારણ કે ઘણી શાળાઓમાં રાહત શિબિરો ચાલી રહી છે. જેમાં પૂર પ્રભાવિત વિસ્તારોના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, શાળાઓ 19 જુલાઈથી ખુલશે અને પહેલાની જેમ જ કામ કરશે.

દિલ્હીના PWD મંત્રી અને AAP નેતા આતિશી કહે છે કે અમે રસ્તાઓ પરથી પાણી હટાવી રહ્યા છીએ. યમુનાનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે. હવે, અમારી પ્રાથમિકતા જીવનને સામાન્ય સ્થિતિમાં લાવવાની છે અને જેઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેમના માટે રાહત અને પુનર્વસન શિબિરો સ્થાપવાની છે, પરંતુ શહેરના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">