AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Corona Guidelines: કોરોના અંગે સરકારની નવી ગાઈડલાઈન, એક પણ કેસ જણાય તો શાળા બંધ

Delhi Covid-19 Cases: શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો શાળામાં કોવિડ -19 (Covid-19) નો કોઈ કેસ નોંધાય છે, તો તરત જ શિક્ષણ નિયામકને જાણ કરવી જોઈએ.

Delhi Corona Guidelines: કોરોના અંગે સરકારની નવી ગાઈડલાઈન, એક પણ કેસ જણાય તો શાળા બંધ
Delhi Corona Guidelines
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 11:23 PM
Share

Covid-19 Guidelines for Schools: શિક્ષણ નિર્દેશાલય, દિલ્હી (Delhi) દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં શાળાઓને કોવિડ -19 નિયમોનું સખતપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન (Delhi Directorate of Education) દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોવિડ-19નો કોઈ કેસ શાળામાં આવે છે, તો તરત જ શિક્ષણ નિયામકને જાણ કરવી. શાળામાં કોરોનાના કેસના આવે તો, આખી શાળા અથવા આખી વિંગ થોડા સમય માટે બંધ કરવી જોઈએ. દિલ્હી NCRમાં કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ચિંતાનું કારણ બની ગયા છે. બુધવારે દિલ્હીમાં 299 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે તેઓ દિલ્હીની શાળાઓ પર નજર રાખી રહ્યા છે.

દિલ્હી-એનસીઆરમાં કોવિડ (Delhi NCR Covid-19 cases) ના કેસ વધી રહ્યા છે, નોઈડા ગાઝિયાબાદ બાદ હવે દિલ્હીની શાળામાં કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. દક્ષિણ દિલ્હીની એક ખાનગી શાળામાં કોવિડનો કેસ સામે આવ્યો છે, જ્યાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી કોવિડથી સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ સમગ્ર વર્ગના બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

શિક્ષણ નિયામકની માર્ગદર્શિકા

ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશને કહ્યું છે કે, “જો કોઈ કોવિડનો કેસ શાળા સત્તાધિકારીને નોંધવામાં આવે છે, તો તેની જાણ ડિરેક્ટોરેટ અને સંબંધિત શાખા અથવા શાળાને કરવી જોઈએ, કારણ કે થોડા સમય માટે સંપૂર્ણ બંધ હોવું જોઈએ.”

હેલ્પલાઇન નંબર

કોવિડ 19 ના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, ગૌતમ બુદ્ધ નગરના આરોગ્ય વિભાગે કેટલાક વિશેષ લક્ષણો પર ધ્યાન આપવાની વાત કરી છે. ગૌતમ બુદ્ધ નગરમાં અચાનક કોવિડ 19ના કેસ વધવા લાગ્યા છે. આરોગ્ય વિભાગે એડવાઈઝરીમાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જો કોઈપણ શાળામાં કોઈપણ બાળકને ઉધરસ, શરદી, ઝાડા, તાવ અથવા કોવિડ 19 ચેપના અન્ય લક્ષણો દેખાય, તો તરત જ મુખ્ય તબીબી અધિકારીની કચેરીને જાણ કરો. આ માટે 1800492211 અથવા ઈમેલ આઈડી cmogbnr@gmail.com પર માહિતી આપી શકાય છે. ગાઝિયાબાદની એક ખાનગી શાળામાં, ધોરણ 10ના વિદ્યાર્થીને કોવિડથી ચેપ લાગવાને કારણે, શાળાને ઓનલાઇન વર્ગો ચલાવવાની સૂચના આપવામાં આવી હતી.

NCRની શાળાઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ હવે દિલ્હીની શાળાઓમાં પણ કેસ સામે આવી રહ્યા છે. ગંગારામ રોડની જાણીતી ખાનગી શાળામાં શિક્ષકને ચેપ લાગ્યો છે. તકેદારી લેતા મેનેજમેન્ટે શાળા બંધ કરી દીધી છે. શાળા પ્રશાસનને મંગળવારે એક શિક્ષકને ચેપ લાગ્યો હોવાની માહિતી મળી, તેથી બુધવારે શાળા બંધ રહી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર

આ પણ વાંચો: UP: વિધાન પરિષદમાં કોંગ્રેસ શૂન્ય થશે, એકમાત્ર MLCનો કાર્યકાળ પણ જુલાઈમાં સમાપ્ત થઈ રહ્યો છે, પહેલીવાર પાર્ટીની હાલત આટલી ખરાબ !

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">