AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Corona Guidelines: કોરોના અંગે સરકારની નવી ગાઈડલાઈન, એક પણ કેસ જણાય તો શાળા બંધ

Delhi Covid-19 Cases: શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો શાળામાં કોવિડ -19 (Covid-19) નો કોઈ કેસ નોંધાય છે, તો તરત જ શિક્ષણ નિયામકને જાણ કરવી જોઈએ.

Delhi Corona Guidelines: કોરોના અંગે સરકારની નવી ગાઈડલાઈન, એક પણ કેસ જણાય તો શાળા બંધ
Delhi Corona Guidelines
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 11:23 PM
Share

Covid-19 Guidelines for Schools: શિક્ષણ નિર્દેશાલય, દિલ્હી (Delhi) દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં શાળાઓને કોવિડ -19 નિયમોનું સખતપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન (Delhi Directorate of Education) દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોવિડ-19નો કોઈ કેસ શાળામાં આવે છે, તો તરત જ શિક્ષણ નિયામકને જાણ કરવી. શાળામાં કોરોનાના કેસના આવે તો, આખી શાળા અથવા આખી વિંગ થોડા સમય માટે બંધ કરવી જોઈએ. દિલ્હી NCRમાં કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ચિંતાનું કારણ બની ગયા છે. બુધવારે દિલ્હીમાં 299 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આ અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે તેઓ દિલ્હીની શાળાઓ પર નજર રાખી રહ્યા છે.

દિલ્હી-એનસીઆરમાં કોવિડ (Delhi NCR Covid-19 cases) ના કેસ વધી રહ્યા છે, નોઈડા ગાઝિયાબાદ બાદ હવે દિલ્હીની શાળામાં કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. દક્ષિણ દિલ્હીની એક ખાનગી શાળામાં કોવિડનો કેસ સામે આવ્યો છે, જ્યાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી કોવિડથી સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ સમગ્ર વર્ગના બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

શિક્ષણ નિયામકની માર્ગદર્શિકા

ડિરેક્ટોરેટ ઑફ એજ્યુકેશને કહ્યું છે કે, “જો કોઈ કોવિડનો કેસ શાળા સત્તાધિકારીને નોંધવામાં આવે છે, તો તેની જાણ ડિરેક્ટોરેટ અને સંબંધિત શાખા અથવા શાળાને કરવી જોઈએ, કારણ કે થોડા સમય માટે સંપૂર્ણ બંધ હોવું જોઈએ.”

હેલ્પલાઇન નંબર

કોવિડ 19 ના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, ગૌતમ બુદ્ધ નગરના આરોગ્ય વિભાગે કેટલાક વિશેષ લક્ષણો પર ધ્યાન આપવાની વાત કરી છે. ગૌતમ બુદ્ધ નગરમાં અચાનક કોવિડ 19ના કેસ વધવા લાગ્યા છે. આરોગ્ય વિભાગે એડવાઈઝરીમાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જો કોઈપણ શાળામાં કોઈપણ બાળકને ઉધરસ, શરદી, ઝાડા, તાવ અથવા કોવિડ 19 ચેપના અન્ય લક્ષણો દેખાય, તો તરત જ મુખ્ય તબીબી અધિકારીની કચેરીને જાણ કરો. આ માટે 1800492211 અથવા ઈમેલ આઈડી cmogbnr@gmail.com પર માહિતી આપી શકાય છે. ગાઝિયાબાદની એક ખાનગી શાળામાં, ધોરણ 10ના વિદ્યાર્થીને કોવિડથી ચેપ લાગવાને કારણે, શાળાને ઓનલાઇન વર્ગો ચલાવવાની સૂચના આપવામાં આવી હતી.

NCRની શાળાઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ હવે દિલ્હીની શાળાઓમાં પણ કેસ સામે આવી રહ્યા છે. ગંગારામ રોડની જાણીતી ખાનગી શાળામાં શિક્ષકને ચેપ લાગ્યો છે. તકેદારી લેતા મેનેજમેન્ટે શાળા બંધ કરી દીધી છે. શાળા પ્રશાસનને મંગળવારે એક શિક્ષકને ચેપ લાગ્યો હોવાની માહિતી મળી, તેથી બુધવારે શાળા બંધ રહી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર

આ પણ વાંચો: UP: વિધાન પરિષદમાં કોંગ્રેસ શૂન્ય થશે, એકમાત્ર MLCનો કાર્યકાળ પણ જુલાઈમાં સમાપ્ત થઈ રહ્યો છે, પહેલીવાર પાર્ટીની હાલત આટલી ખરાબ !

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">