AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત

કોરોનાની વર્તમાન લહેરમાં સૌથી વધુ કેસ દિલ્લીમાં જોવા મળ્યા છે. એક દિવસમાં 28 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે સાડા 10 હજાર કેસ પહોંચી ગયા છે અને સકારાત્મકતા દર પણ ઘટીને 17 ટકા પર આવી ગયો છે.

Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત
Delhi Weekend Curfew (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 3:52 PM
Share

દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)  એલજી અનિલ બૈજલને (LG Anil Baijal) દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ (Weekend Curfew) હટાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. એલજી હાઉસ ખાનગી ઓફિસોમાં 50 ટકા હાજરી સાથે કચેરીઓ ચાલુ કરવા માટે સંમત છે. પરંતુ એવું સૂચન કરવામાં આવ્યું છે કે સપ્તાહના અંતે કર્ફ્યુ અને બજારો ખોલવા અંગે યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ અને કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ આ વિષય પર નિર્ણય લેવામાં આવે. એટલે કે, એલજી અનિલ બૈજલે દિલ્લીમાં લગાવેલા વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી આપી નથી.

દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસોને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને સપ્તાહના અંતમાં કર્ફ્યુ સમાપ્ત કરવા માટે પત્ર લખીને ભલામણ કરી હતી. દરખાસ્તમાં, દિલ્હીના મુખ્ય પ્રધાને બજારોમાં ઓડ-ઇવન સિસ્ટમ દૂર કરવા અને ખાનગી ઓફિસોને 50 % ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવાનું પણ કહ્યું હતું. હકીકતમાં, કોરોનાના વધતા જતા કેસ પછી, રાજધાનીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

બીજી તરફ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોનાની વર્તમાન લહેરમાં સૌથી વધુ કેસ દિલ્લીમાં જોવા મળ્યા છે. એક દિવસમાં 28 હજારથી વધુ કેસ નોંધાયા હતા. ત્રણ-ચાર દિવસ પહેલા સકારાત્મકતા દર પણ 31 ટકા પર પહોંચી ગયો હતો. હવે સાડા 10 હજાર કેસ પહોંચી ગયા છે અને સકારાત્મકતા દર પણ ઘટીને 17 ટકા પર આવી ગયો છે. જ્યારે કોરોનાના વધુ કેસ સામે આવ્યા, ત્યારે નિયંત્રણો લાદવામાં આવ્યા અને કડક નિર્ણયો લેવામાં આવ્યા. હવે એવું લાગે છે કે આ લહેરની પીક પસાર થઈ ગઈ છે. ત્યારે અરવિંદ કેજરીવાલ સરકારે લોકોના રોજગારને લઈને કેટલાક નિર્ણયો લીધા છે.

આ પણ વાંચોઃ

બેકાબૂ બન્યો કોરોના : આ 6 રાજ્યોની કોરોના સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચોઃ

આ રાજ્યમાં Corona બેકાબૂ, એક દિવસમાં 46 હજાર નવા કેસ આવતા આગામી બે રવિવારે સંપૂર્ણ Lockdown

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">