AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત

કોરોનાની વર્તમાન લહેરમાં સૌથી વધુ કેસ દિલ્લીમાં જોવા મળ્યા છે. એક દિવસમાં 28 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે સાડા 10 હજાર કેસ પહોંચી ગયા છે અને સકારાત્મકતા દર પણ ઘટીને 17 ટકા પર આવી ગયો છે.

Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 3:52 PM
Share

દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)  એલજી અનિલ બૈજલને (LG Anil Baijal) દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ (Weekend Curfew) હટાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. એલજી હાઉસ ખાનગી ઓફિસોમાં 50 ટકા હાજરી સાથે કચેરીઓ ચાલુ કરવા માટે સંમત છે. પરંતુ એવું સૂચન કરવામાં આવ્યું છે કે સપ્તાહના અંતે કર્ફ્યુ અને બજારો ખોલવા અંગે યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ અને કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ આ વિષય પર નિર્ણય લેવામાં આવે. એટલે કે, એલજી અનિલ બૈજલે દિલ્લીમાં લગાવેલા વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી આપી નથી.

દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસોને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને સપ્તાહના અંતમાં કર્ફ્યુ સમાપ્ત કરવા માટે પત્ર લખીને ભલામણ કરી હતી. દરખાસ્તમાં, દિલ્હીના મુખ્ય પ્રધાને બજારોમાં ઓડ-ઇવન સિસ્ટમ દૂર કરવા અને ખાનગી ઓફિસોને 50 % ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવાનું પણ કહ્યું હતું. હકીકતમાં, કોરોનાના વધતા જતા કેસ પછી, રાજધાનીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

બીજી તરફ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોનાની વર્તમાન લહેરમાં સૌથી વધુ કેસ દિલ્લીમાં જોવા મળ્યા છે. એક દિવસમાં 28 હજારથી વધુ કેસ નોંધાયા હતા. ત્રણ-ચાર દિવસ પહેલા સકારાત્મકતા દર પણ 31 ટકા પર પહોંચી ગયો હતો. હવે સાડા 10 હજાર કેસ પહોંચી ગયા છે અને સકારાત્મકતા દર પણ ઘટીને 17 ટકા પર આવી ગયો છે. જ્યારે કોરોનાના વધુ કેસ સામે આવ્યા, ત્યારે નિયંત્રણો લાદવામાં આવ્યા અને કડક નિર્ણયો લેવામાં આવ્યા. હવે એવું લાગે છે કે આ લહેરની પીક પસાર થઈ ગઈ છે. ત્યારે અરવિંદ કેજરીવાલ સરકારે લોકોના રોજગારને લઈને કેટલાક નિર્ણયો લીધા છે.

આ પણ વાંચોઃ

બેકાબૂ બન્યો કોરોના : આ 6 રાજ્યોની કોરોના સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચોઃ

આ રાજ્યમાં Corona બેકાબૂ, એક દિવસમાં 46 હજાર નવા કેસ આવતા આગામી બે રવિવારે સંપૂર્ણ Lockdown

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">