AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Corona Update: દિલ્હીમાં 5,500 નવા કેસ, સંક્રમણ દર 8.5 ટકા, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

દિલ્હીના સ્વાસ્થ્ય સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે શહેરમાં સંક્રમણના વધતા કેસો માટે કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન જવાબદાર છે.

Delhi Corona Update: દિલ્હીમાં 5,500 નવા કેસ, સંક્રમણ દર 8.5 ટકા, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
Delhi Health Minister Satyendra Jain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 2:51 PM
Share

દિલ્હી (Delhi)ના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Health Minister Satyendra Jain) મુજબ દિલ્હીમાં આજે લગભગ 5500 કોરોના (Corona Virus) ના નવા કેસ સામે આવ્યા છે અને કોરોના સંક્રમણનો દર લગભગ 8.5 ટકા છે. દિલ્હીના સ્વાસ્થ્ય સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે શહેરમાં સંક્રમણના વધતા કેસો માટે કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન જવાબદાર છે. શહેરમાં સંક્રમણ દર 18 મે પછી સૌથી વધારે છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લી (Delhi)માં કોરોના (Corona)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) અને ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant)ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્લીમાં હવે વીકએન્ડ કર્ફ્યૂ (Weekend curfew)ની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે શનિવાર અને રવિવારે કોઈપણ બિનજરૂરી અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રાઈવેટ ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ મંજૂરી અપાશે.

મેટ્રો અને બસો સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે

મનીષ સિસોદિયાએ કહ્યું કે સરકારી ઓફિસોમાં કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ અથવા ઓનલાઈન મોડમાં કામ કરવું જોઈએ. ખાનગી ક્ષેત્રમાં 50 ટકા ક્ષમતા પર કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મેટ્રો સ્ટેશન અને બસ સ્ટેશન પર ઘણી ભીડ હોય છે. તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે બસ અને મેટ્રો સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવામાં આવશે, પરંતુ માસ્ક પહેરવું જરૂરી રહેશે. તેમણે કહ્યું કે ખોરાક, તબીબી અને ઈમરજન્સી જેવી આવશ્યક સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

દિલ્લીમાં 10 હજાર સક્રિય કેસ

દિલ્લીમાં લાગુ કરવામાં આવેલા વીકએન્ડ કર્ફ્યૂ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્લીમાં લગભગ 10 હજાર સક્રિય કેસ છે. લગભગ 350 લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 124 લોકો ઓક્સિજન સપોર્ટ પર છે, જ્યારે 7 લોકો વેન્ટિલેટર પર છે.

તેમણે કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે જ હોસ્પિટલ જાઓ. મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે ડીડીએમએની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: PM મોદીએ વિપક્ષ પર સાધ્યુ નિશાન, કહ્યું કેટલાક લોકો મણિપુરને ફરીથી અસ્થિર કરવા માગે છે, પરંતુ મણિપુરના લોકો આવું નહીં થવા દે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">