AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિલ્હી બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર આતંકી ડો. ઉમરનું ઘર સુરક્ષા એજન્સીઓએ IED બ્લાસ્ટથી ઉડાવી દીધું

દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પુલવામાનો ડૉક્ટર ઉમર મોહમ્મદ આ ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર હતો, જે વિસ્ફોટમાં માર્યો ગયો. હવે સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે.

Breaking News : દિલ્હી બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર આતંકી ડો. ઉમરનું ઘર સુરક્ષા એજન્સીઓએ IED બ્લાસ્ટથી ઉડાવી દીધું
| Updated on: Nov 14, 2025 | 8:07 AM
Share

દિલ્હીમાં થયેલા ભયાનક વિસ્ફોટની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓ મુજબ, પુલવામાનો ડૉક્ટર ઉમર મોહમ્મદ આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. ઉમર પોતે પણ આ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. ઘટનાના ગુનાહિત પાસાઓ બહાર આવતા જ જમ્મુ-કાશ્મીર પોલીસે ઉમરનું ઘર ઉડાવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.

દિલ્હીમાં સાંજે 7 વાગ્યે થયો હતો વિસ્ફોટ

સોમવારે સાંજે સાત વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જોરદાર વિસ્ફોટ થયો, જેમાં કુલ 13 લોકોના મોત થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉમર લાંબા સમયથી આ હુમલાની યોજના બનાવી રહ્યો હતો અને જૈશ-એ-મોહમ્મદના એક મૉડ્યુલ સાથે જોડાયેલો હતો.

હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ઉમરનું નામ સામે આવ્યું

વિસ્ફોટ બાદ દેશભરમાં પાડવામાં આવેલા દરોડાઓ દરમિયાન વધુ પુરાવા મળ્યા. સુરક્ષા દળોને ખબર પડી કે ઉમર જ આ સમગ્ર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો અને તેની ગેંગ છેલ્લા બે વર્ષથી આ કાવતરું ઘડી રહી હતી. પોલીસે તેના ભાઈ અને માતાની પણ ધરપકડ કરી છે.

માતાનો ખુલાસો: “હું જાણતી હતી કે એ કટ્ટરપંથી બની ગયો છે”

પોલીસ પૂછપરછમાં ઉમરની માતાએ જણાવ્યું કે તે જાણતી હતી કે તેનો પુત્ર કટ્ટર વિચારો તરફ વળી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી તેમની સાથે વાતચીત પણ નહોતી થઈ. વિસ્ફોટ પહેલા ઉમરે પરિવારને સ્પષ્ટ કહ્યું હતું કે તેને ફોન ન કરવો, છતાં પરિવાર એ તેની પ્રવૃત્તિઓ વિશે પોલીસને જાણ કરી નહોતી.

2,900 કિલો વિસ્ફોટકો જપ્ત કર્યો..

વિસ્ફોટ થતાં પહેલા જ સુરક્ષા એજન્સીઓએ ઉમરની ટીમના કેટલાક સભ્યોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી લગભગ 2,900 કિલો વિસ્ફોટકો જપ્ત થયા હતા, જે મોટા હુમલાની યોજના દર્શાવે છે.

પુલવામાનુ રહેવાસી ઉમર – વ્યવસાયે ડૉક્ટર

ઉમર મોહમ્મદ પુલવામાનો રહેવાસી અને વ્યવસાયે ડૉક્ટર હતો. જૈશ-એ-મોહમ્મદ સાથે તેની સક્રિય સંડોવણી તપાસ દરમિયાન સ્પષ્ટ થઈ છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">