Delhi: કંઝાવલા કાંડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ

આ ઘટના બાદ દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. કેજરીવાલે આકરા શબ્દોમાં નિંદા કરતા ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમજ દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંયેધરી આપી હતી.

Delhi: કંઝાવલા કાંડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ
Arvind Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 5:19 PM

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 31stની મોડી રાતે બનેલ કંઝાવલા કાંડ બાદ કાનૂની વ્યવસ્થાના વિરોધને લઈને ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાના નિવાસ સ્થાને આજ રોજ બેઠક મળી હતી. જેમાં કંઝાવલા કાંડથી દિલ્હીની કાનૂની વ્યવસ્થાની પોલ ખુલી છે. આ ઘટના બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. કેજરીવાલે આકરા શબ્દોમાં નિંદા કરતા ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમજ દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંયેધરી આપી હતી.

આ મુદ્દે કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યું છે કે ‘આપણી બહેન સાથે જે થયું તે ખુબ જ શરમજનક છે’. આવુ કોઈ પણ સાથે થાય તે ખુબ ભયાનક છે, તેથી આ ઘટનાના આરોપીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ. આ સાથે કેજરીવાલે કંઝાવલા કેસના આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરી છે. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે કહ્યું કે, હજુ પણ દિલ્હી શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી. દિવસ રાત તેમને ભય સતાવતો રહે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

શું છે સમગ્ર મામલો ?

31st ડિસેમ્બરની મોડી રાતે દિલ્હીના સુલ્તાનપુરીમાં કેટલાક અજાણ્યા યુવકોના ટોળાએ એક યુવતીની સ્કૂટીને કારથી ટક્કર મારી હતી, જે બાદ યુવતીને 4 કિલોમીટર સુધી ઘસેડાઈ હતી. ભયંકર અકસ્માત અને તે બાદ યુવતીને રોડ પર ઘસડાવાને કારણે ઘટના સ્થળ પર જ યુવતીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના દિલ્હીના સુલ્તાનપુરીમાં બની હતી જે બાદ નરાધમો યુવતીને ઘસડીને કંઝાવલા સુધી લઈ ગયા હતા. આ ઘટના સામે આવતા જ દિલ્હી પોલીસે કાર ચાલક સહિત તેના અન્ય મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડ્યા અને આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દેશની રાજધાનીમાં ક્રાઈમ વધ્યું: AAP

આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, દેશની રાજધાની ક્રાઈમ સિટી બની ચુકી છે. દિલ્હીમાં આપણી બહેનો-દિકરીઓ સુરક્ષિત નથી અને એલજી સાહેબ કાનૂની વ્યવસ્થા પર ધ્યાન આપવાનું છોડી રાજનીતિ કરી રહ્યા છે. ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થામાં સુધારા કરવામાં આવે તેને લઈને આજે બેઠક યોજવામાં આવી હતી.

(ઈનપુટ – ભાષા)

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">