Delhi: કેજરીવાલને સિંગાપોર જવા માટેની મંજૂરી પર ચોકડી, સંજય સિંહે કહ્યું મંજૂરી ન આપવી એ તેમના અધિકારનું ઉલ્લંઘન છે
સંસદનું ચોમાસુ સત્ર યોગ્ય રીતે ચલાવવા માટે સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આપ નેતા સંજય સિંહે (Sanjay Singh) સીએમ કેજરીવાલને સિંગાપોર જવાની પરવાનગી ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સિંગાપોર જવાની પરવાનગી ન આપવા પર સાંસદ સંજય સિંહે (Sanjay Singh) નારાજગી વ્યક્ત કરી છે. સંજય સિંહનું કહેવું છે કે સીએમ અરવિંદ કેજરીવાલને વર્લ્ડ સિટી સમિટમાં ભાગ લેવાની મંજૂરી ન આપવી એ તેમના અધિકારનું ઉલ્લંઘન છે. સર્વપક્ષીય બેઠક બાદ સંજય સિંહે કહ્યું કે તેઓ ત્રણ વિષયો પર સંસદ સત્રમાં ચર્ચા કરવા માંગે છે. એમાં એક વિષય સીએમ કેજરીલાલને સિંગાપુર ન જવા દેવાનો પણ સામેલ છે. આપ સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના કેસમાં ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઈડીનો સજાનો દર માત્ર 0.5% છે. તેમણે કહ્યું કે તેનો ઉપયોગ માત્ર વિપક્ષને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે ઈન્ડિયા કોલ 3000 રૂપિયા છે અને અદાણી કોલ 30,000 રૂપિયા છે. જ્યારે પંજાબ સરકારને તેને ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
સર્વપક્ષીય બેઠકમાં સાંસદ સંજય સિંહની માંગ
I put up 3 topics I would like to be discussed at the parliament session including not allowing CM Arvind Kejriwal to attend the World City summit is infringing on his right: MP Sanjay Singh, AAP leader after all-party meeting (1/2) pic.twitter.com/ll4HZ7obnM
— ANI (@ANI) July 17, 2022
સિંગાપોર જવાની પરમિશન ન આપવા પર સવાલ
સંસદનું ચોમાસુ સત્ર યોગ્ય રીતે ચલાવવા માટે સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આપ નેતા સંજય સિંહે સીએમ કેજરીવાલને સિંગાપોર જવાની પરમિશન ન આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સાંસદ સંજય સિંહે કહ્યું કે એલજી પાસે સીએમ કેજરીવાલની સિંગાપોર જવાની સાથે જોડાયેલી ફાઇલ ઘણા મહિનાઓથી અટકેલી છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે તેમને સિંગાપુર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી.
‘પીએમઓ તરફથી ન મળ્યો પત્રનો જવાબ’
સંજય સિંહે અન્ય ઘણા મુદ્દા પણ આ બેઠકમાં ઉઠાવ્યા હતા. તેમણે કેન્દ્ર પર ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો. મળતી માહિતી મુજબ સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ મોંઘવારી, બેરોજગારી, ડોલર સામે રૂપિયાની ઘટતી કિંમત તેમજ અગ્નિપથ યોજના પર ચર્ચાની માંગ સત્રમાં વાત કરી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન મોદીને પત્ર લખીને સિંગાપોરમાં 1 ઓગસ્ટે આયોજિત થનારા વર્લ્ડ સિટી સંમેલનમાં ભાગ લેવાની મંજૂરી માંગી છે. સીએમ કેજરીવાલે પત્રમાં કહ્યું છે કે તેમણે સિંગાપોર જવાની પરવાનગી માટે 7 જૂને પત્ર લખ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.