AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: દક્ષિણ દિલ્હીની એક ક્લબમાં 600 લોકોની ભીડ ઉમટી, DDMAના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ પ્રશાસને સીલ કર્યું

ગુરુવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને તેમની ટીમે મહેરૌલીમાં આ ક્લબ પર દરોડા પાડ્યા હતા. જે બાદ કોવિડ નિયમો તોડવા બદલ ક્લબને સીલ કરવામાં આવી હતી.

Delhi: દક્ષિણ દિલ્હીની એક ક્લબમાં 600 લોકોની ભીડ ઉમટી, DDMAના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ પ્રશાસને સીલ કર્યું
Club sealed (symbolic image).
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:53 AM
Share

Delhi: રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે (Corona Cases in Delhi) દરમિયાન, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી(Christmas and New Year Celebration)ને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળાવડા (Ban on gatherings) પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે કડક સૂચના આપવામાં આવી છે. દરમિયાન, ગુરુવારે દક્ષિણ દિલ્હીના મહેરૌલી(Mehrauli)માં સ્થિત એક ક્લબને કોવિડના નિયમો તોડવા બદલ સીલ (Club Sealed)કરી દેવામાં આવી છે.

ગુરુવારે જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ અને તેમની ટીમે મહેરૌલીમાં આ ક્લબ પર દરોડા પાડ્યા ત્યારે ત્યાં 600 લોકો હાજર જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, કોવિડ નિયમોની અવગણના કરવા અને આટલી મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા બદલ ક્લબને સીલ કરવામાં આવી છે. એડિશનલ ડીસીપી સાઉથ એમ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે ડીડીએમએના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ મહેરૌલીમાં એક રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં ભીડ હતી; અમે કલમ 188, 279 IPC હેઠળ સ્થાપના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 

રેસ્ટોરન્ટ, બાર અને સિનેમાઘરો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે

હકીકતમાં, કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને અને ક્રિસમસ-ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીના આયોજન માટે કોઈપણ મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. ડીડીએમએ આ માટે ઔપચારિક આદેશ જારી કર્યો છે. આ સાથે દિલ્હીમાં રેસ્ટોરાં, સિનેમાઘરો અને બાર ફરી 50 ટકા સાથે ખુલશે.

દિલ્હી પોલીસને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના

આદેશ મુજબ કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને દિલ્હી પોલીસના અધિકારીઓને આદેશનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રને રોજેરોજ અહેવાલ આપવા જણાવાયું હતું. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને DDMAનો આ આદેશ જારી કરવામાં આવ્યો છે. 

ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 118 નવા કેસ નોંધાયા છે. આ સિવાય રોગચાળાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું હતું, જેના કારણે મૃત્યુઆંક 25,103 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 24 કલાકમાં કુલ 61322 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 118 કેસ પોઝિટિવ આવ્યા હતા. જે પછી ચેપનો દર 0.19% ટકા નોંધાયો હતો.

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">