AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના સૈન્ય જવાનોએ તવાંગ સેકટરમા ચીનના અતિક્રમણને રોક્યુ- સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું નિવેદન

સંસદમાં રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, આ અથડામણને લઈને બન્ને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ફ્લેમ મીટીગ પણ યોજાઈ હતી અને સરહદ પર કાયમ શાંતિ જાળવી રાખવા માટે સહમતી સધાઈ હતી. આ અથડામણ મુદ્દે રાજનીતિક રીતે પણ ઉઠાવવામાં આવી છે.

ભારતના સૈન્ય જવાનોએ તવાંગ સેકટરમા ચીનના અતિક્રમણને રોક્યુ- સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનું નિવેદન
Rajnath Singh, Parliament Image Credit source: sansad tv
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 12:50 PM
Share

ચીનના સૈન્ય જવાનોએ તવાંગમાં ધૂસણખોરી કરીને એલઓસીની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ભારતીય સૈન્ય દ્રઢતાથી સામનો કર્યો હતો. આ દરમિયાન બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ભારતના એક પણ સૈન્ય જવાનનું મૃત્યુ થયુ નથી.

રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, આ અથડામણને લઈને બન્ને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે ફ્લેમ મીટીગ પણ યોજાઈ હતી અને સરહદ પર કાયમ શાંતિ જાળવી રાખવા માટે સહમતી સધાઈ હતી. આ અથડામણ મુદ્દે રાજનીતિક રીતે પણ ઉઠાવવામાં આવી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે, તમામ સ્થિતિને પહોચી વળવા માટે ભારતીય સૈન્ય સજ્જ છે. ભારતીય સૈન્યની ક્ષમતા અને શૌર્યને ભારત બિરદાવે છે. અભિનંદન પાઠવે છે.

રાજનાથ સિંહે કહ્યુ-PLAએ સરહદે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો

તવાંગમાં અથડામણ પર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતુ કે, ગત 9 ડિસેમ્બર 2022ના રોજ, ચીનના PLA (Peoples Liberation Army) તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં LAC પર ધૂસણખોરી કરીને એકપક્ષીય રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ, ચીનના સૈન્યનો દૃઢ નિશ્ચય સાથે સામનો કર્યો હતો. જેમાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે અથડામણ થઈ હતી અને મારામારી પણ થઈ હતી.

તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક પીએલએને આપણા પ્રદેશ પર અતિક્રમણ કરતા અટકાવ્યા છે. સાથોસાથ ચીનના પિપલ્સ લિબરેશન આર્મીને તેમની સરહદમાં પર પાછા ફરવા મજબૂર કર્યા. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક જવાનો ઘાયલ થયા હતા. જો કે આપણા એક પણ સૈન્ય જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી થયા કે નથી કોઈ આપણા જવાન શહીદ થયા.

આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે. વધુ સમાચાર જાણવા અહી ક્લિક કરો.

જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">