AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે 5 વર્ષ સુધી કરોડો બાળકોને આપવામાં આવશે મફતમાં ભોજન, PM પોષણ શક્તિ નિર્માણ યોજના શરૂ કરશે સરકાર

આ યોજના શિક્ષણ વિભાગથી જોડાયેલી છે અને તેમાં દેશના કરોડો બાળકો જે નિર્ધન પરિવારમાંથી આવે છે, તેમને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે.

હવે 5 વર્ષ સુધી કરોડો બાળકોને આપવામાં આવશે મફતમાં ભોજન, PM પોષણ શક્તિ નિર્માણ યોજના શરૂ કરશે સરકાર
Anurag Thakur
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 5:14 PM
Share

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM Poshan Shakti Nirman Yojana) યોજના શરૂ કરવા જઈ રહી છે. જેની હેઠળ 5 વર્ષ સુધી દેશના કરોડો બાળકોને મફતમાં ભોજન આપવામાં આવશે. બુધવારે એક કેબિનેટ બ્રીફિંગમાં તેની જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) આ યોજના વિશે જાણકારી આપી છે.

આ યોજના શિક્ષણ વિભાગથી જોડાયેલી છે અને તેમાં દેશના કરોડો બાળકો જે નિર્ધન પરિવારમાંથી આવે છે, તેમને પોષણ યોજનાનો લાભ આપવામાં આવશે. તેના માટે સરકારે વધારાના ભંડોળનો નિર્ણય લીધો છે. જે બાળક સરકારી સ્કૂલોમાં ભણવા માટે જાય છે, તેમના માટે આ યોજના શરૂ કરવામાં આવશે. તેનું નામ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના રાખવામાં આવ્યું છે. સરકારી સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓની સાથે સરકાર તરફથી ફંડ મેળવનારી સ્કૂલોમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

નવી યોજનામાં શું છે

સરકાર મુજબ દેશના કરોડો વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાનો લાભ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ યોજના હેઠળ બપોરનું પણ ભોજન આપવામાં આવશે, જે પહેલા પણ આપવામાં આવતુ હતું. આ યોજના પર 1,71,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. દેશના કરોડો બાળકોને પોષક તત્વોથી ભરપુર ભોજન મળે, તેના માટે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારનો પ્રયત્ન છે કે બાળકના ભણતરની સાથે તેમનું પોષણ પણ સુનિશ્ચિત કરવામાં આવે અને તેને ધ્યાનમાં રાખતા આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. તેનાથી સ્કૂલોમાં ગરીબ વિદ્યાર્થીઓની હાજરી વધશે અને તેમના ભણતર અને પોષણનો વિકાસ થશે. આ યોજના દ્વારા શિક્ષણમાં ‘સોશિયલ અને જેન્ડર ગેપ’ પુરો કરવામાં મદદ મળશે.

બીજા આ મહત્વના નિર્ણયો લીધા

પ્રેસ બ્રીફિંગમાં બીજા ઘણા નિર્ણય વિશે જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે યૂનિયન કેબિનેટે નીમચ-રતલામ ટ્રેકને ડબલ કરવાનો નિર્ણય લીધો છે. આ કામમાં 1,096 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. તે સિવાય Rajkot-Kanalusલાઈનને પણ ડબલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામને પૂરૂ કરવામાં લગભગ 1,080 કરોડનો ખર્ચ આવશે.

આત્મનિર્ભર ભારત યોજનામાં તેજી

પત્રકારોને યોજનાઓની જાણકારી આપતા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે મોદી સરકાર નિકાસને વધારવા માટે ખુબ જ પ્રયત્નશીલ છે. ઉદ્યોગ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ પર ઘણા નિર્ણય લેવામાં આવ્યા. 1 વર્ષમાં આત્મનિર્ભર ભારત હેઠળ નિકાસ પર ફોક્સ કરવામાં આવ્યું. ચાલુ નાણાકીય વર્ષમાં 21 સપ્ટેમ્બર સુધી દેશમાં 185 બિલિયન ડોલરની નિકાસ થઈ, જે 6 મહિનાનો રેકોર્ડ છે.

આ પણ વાંચો: Ahmedabad : રેલવે મંત્રીએ 2200 કરોડના બે પ્રોજેકટની જાહેરાત કરી, 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો: CLW Recruitment 2021: ચિતરંજન લોકોમોટિવ વર્ક્સમાં એપ્રેન્ટિસના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, આ રીતે કરો અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">