AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccination: દેશમાં 12-14 વર્ષની વયના 1 કરોડથી વધુ બાળકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો- કેન્દ્રીય આરોગ્ય મંત્રી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે કહ્યું કે, અત્યાર સુધીમાં 12-14 વર્ષની વયજૂથના એક કરોડથી વધુ બાળકોને કોવિડ-19 રસીનો (Covid-19 Vaccine) પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Covid Vaccination: દેશમાં 12-14 વર્ષની વયના 1 કરોડથી વધુ બાળકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો- કેન્દ્રીય આરોગ્ય મંત્રી
Covid Vaccination (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 6:57 PM
Share

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandaviya) શુક્રવારે કહ્યું કે, અત્યાર સુધીમાં 12-14 વર્ષની વયજૂથના એક કરોડથી વધુ બાળકોને કોવિડ-19 રસીનો (Covid-19 Vaccine) પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ વયજૂથના લાભાર્થીઓનું રસીકરણ 16 માર્ચથી શરૂ થયું હતું. તેમને કોર્બેવેક્સ રસી આપવામાં આવી રહી છે, જેના બે ડોઝ 28 દિવસના અંતરે આપવાના છે. ગયા વર્ષે 1 માર્ચ સુધી દેશમાં 12 અને 13 વર્ષના બાળકોની સંખ્યા 4.7 કરોડ હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે, 12-14 વર્ષની વય જૂથના એક કરોડથી વધુ બાળકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રસી મેળવનાર મારા તમામ યુવા યોદ્ધાઓને અભિનંદન. આ ગતિ ચાલુ રાખો. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના કુલ 182.55 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 12 થી 14 વર્ષની વયના બાળકોના રસીકરણના પ્રથમ દિવસે 16 માર્ચે 23 હજારથી વધુ બાળકોને કોવિડ-19 કોર્બેક્સ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1685 નવા કેસ સામે આવ્યા છે

તે જ સમયે, દેશમાં કોરોના કેસની ઝડપમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,685 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,16,372 થઈ ગઈ છે. હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 21,530 થઈ ગઈ છે. ગુરુવારના આંકડાની સરખામણીમાં મૃત્યુમાં વધારો થયો છે. કોરોનાને કારણે 83 લોકોના મોત થયા છે, જે પછી ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,16,755 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 157 નો ઘટાડો નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,24,78,087 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે અને કોવિડ-19થી મૃત્યુદર લગભગ 1.20 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જણાવ્યું કે ગુરુવારે દેશમાં કોરોનાવાયરસ માટે 6,91,425 નમૂના પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. ગુરુવાર સુધીમાં કુલ 78,56,44,225 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

(ઇનપુટ ભાષા સાથે)

આ પણ વાંચો: School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

આ પણ વાંચો: CUET 2022: હવે કોલેજમાં એડમિશન કેવી રીતે મેળવવું? જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ 10 પોઈન્ટમાં

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">