AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID 19: રથયાત્રાના એક દિવસ પહેલા શહેરમાં લાગુ થશે કર્ફ્યુ, શ્રદ્ધાળુઓ સતત બીજા વર્ષે પણ નહિ કરી શકે ભગવાન જગન્નાથના દર્શન

ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનો આ ઉત્સવ કોરોના રોગચાળાને લીધે ભક્તોની ભાગીદારી વગર સતત બીજા વર્ષે ઉજવવામાં આવી રહ્યો છે.12 જુલાઈએ યોજાનારા મહોત્સવના એક દિવસ પહેલા સમગ્ર પુરી શહેરમાં કર્ફ્યુ લગાવી દેવાશે.

COVID 19: રથયાત્રાના એક દિવસ પહેલા શહેરમાં લાગુ થશે કર્ફ્યુ, શ્રદ્ધાળુઓ સતત બીજા વર્ષે પણ નહિ કરી શકે ભગવાન જગન્નાથના દર્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 10:31 AM
Share

Odisha: રાજ્ય સરકારે શનિવારે જણાવ્યું હતું કે, આ વર્ષે વાર્ષિક રથયાત્રા (Rath Yatra) મહોત્સવ ભક્તોની હાજરી વગર યોજાશે. શ્રદ્ધાળુઓને યાત્રના રસ્તા પર આવેલા મકાનો તેમજ બિલ્ડિંગની છત ઉપરથી પણ દર્શન કરવાની અને ધાર્મિક વિધિઓ જોવા માટેની અનુમતિ નથી આપવામાં આવી. પુરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રએ પોતાના નિર્ણયની સમીક્ષા કરી છે અને ઘર અને હોટલોની છત પરથી રથયાત્રાને નિહાળવા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

સાથે જ જણાવ્યુ કે, 12 જુલાઈએ યોજાનારા મહોત્સવના એક દિવસ પહેલા સમગ્ર પુરી શહેરમાં કર્ફ્યુ લગાવી દેવાશે. જે બીજા દિવસે બપોર સુધી અમલમાં રહેશે. વર્માએ વધુમાં જણાવ્યું કે, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથનો આ ઉત્સવ કોરોના રોગચાળાને લીધે ભક્તોની ભાગીદારી વગર સતત બીજા વર્ષે ઉજવવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે શહેરના લોકોને ટેલીવીઝન પર આ ઉત્સવનું લાઇવ ટેલિકાસ્ટ જોવા માટે અપીલ કરી હતી.

રથયાત્રાને લઈ થયેલી અરજીને ઓડિશા હાઈકોર્ટે ફગાવી

ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી સીવાય કેન્દ્રપાડા અને બરગઢમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવાને લઈ ઓડિશા હાઈકોર્ટેમાં 5 અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે નામંજૂર કરી દીધી હતી.અરજદારોએ ઓડિશા સરકાર પાસેથી રથયાત્રા કેન્દ્રપાડા જિલ્લાની સાથે જ ભટલી તેમજ બારગઢમાં પણ યોજવા માટેની પરવાનગી માંગી હતી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ રથયાત્રામાં ફક્ત સેવાદારો જ સામેલ થશે અને કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.

મહત્વનું છે કે, આ તમામ વચ્ચે રાજ્યમાં 12 જુલાઇએ યોજાનારી વાર્ષિક રથયાત્રા ફક્ત કોવિડ-19 પ્રોટોકોલના કડક પાલન વચ્ચે પુરીમાં જ યોજવામાં આવશે તેવી ઓડિશા સરકારે આ મહિને જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Surat : હવે કચરા વીણનારા લોકોને પણ આઈકાર્ડ અપાશે, 911 રેક પિકર્સ રજીસ્ટર્ડ

આ પણ વાંચો: Maharashtra: પાલઘરના ભારત કેમિકલ્સમાં થયો વિસ્ફોટ, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">